SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા પાલનપુર ૨૦-૯-૮૩, ભાદરવા સુદ ૧૩ આરાધનામાં પ્રબળ વિદન અહંકાર છે. સાધનાનો અહંભાવ પણ આરાધકને હેઠો પાડે છે. સાધનાએ કર્તવ્યની ભૂમિકાનું પવિત્ર કર્તવ્ય છે તેમાં આપણે નવાઈ શી કરીએ છીએ કે તેનો અહંભાવ આપણે કરીએ? સંસ્કારો આપણને સાધના માર્ગથી વિચલિત કરવા શાહુકારીના કપડાં પહેરી આવેલ ઠગ-બદમાશની જેમ સાધનાના અહંકારરૂપે દુર્વાસનાના સંસ્કાર આપણને સાધનાના માર્ગથી ભ્રષ્ટ કરવા મહેનત કરે છે. પણ સમજદાર વિવેકી પુણ્યાત્માએ સંયમભાવ કેળવી કર્તવ્યનિષ્ઠાના ધોરણે જાતને લઈ જઈ ઊપજતા અહંભાવને અટકાવવા પ્રયત્ન કરવો જરૂરી છે. વિચારોના અહંભાવ કરતાં સાધનાનો અહંભાવ વધુ નુકસાન કરે છે. વિચારોના અહંભાવમાં તત્વનિષ્ઠા અને જ્ઞાની પુરુષોનાં વચનોના ચિંતનબળે તેમાંથી છૂટવાનો અવસર મળે, પણ સાધનાના અહંભાવમાં છૂટવાની બારી જડવી ઘણી મુશ્કેલ છે. માટે વિવેકી પુણ્યવાનોએ સાધનાના અહંભાવને ઊપજવા જ ન દેવો – એ ખાસ જરૂરી મહત્ત્વની વાત છે. સાધનાના અહંભાવને ઓગાળવા લક્ષ્યની સાથે પ્રણિધાન = જાગૃતિની કેળવણી ખાસ જરૂર છે. પ્રણિધાન = પરમેષ્ઠીઓના સ્વરૂપની ચિંતના દ્વારા ઊપજતા તીવ્ર ગુણાનુરાગ બળે આપણી જાત પર આવેલ વિશિષ્ટ મોહનાં આવરણોને ખસેડવા માટેની તીવ્ર તમન્ના. આ જ્યારે જાગ્રત થાય ત્યારે અંતરમાં સાધનાનો અહંભાવ ટકે નહીં. સાધના એટલે પરમેષ્ઠીઓના આલંબને ગુણાનુરાગની પ્રક્રિયાનું સક્રિય રૂપ. તેમાં કર્મક્ષયનું લક્ષ્ય ઉમેરાઈ જાય એટલે અનાદિકાલીન મોહના સંસ્કારોની પ્રબળતા થવા ન પામે. માટે સાધનાના અહંભાવને ઓગાળવા અંતરમાં પ્રણિધાન - લક્ષ્યની જાગૃતિ વધુ કેળવવાની ખાસ જરૂર છે. વિચારોમાં અહંભાવ આપણી જાતને પંચપરમેષ્ઠી તરફ જતાં અટકાવે છે. પણ સાધનાનો અહંભાવ પરમેષ્ઠી પ્રતિ આપણી વૃત્તિઓને લઈ જવા છતાં યેય – હીનતાના કારણે વૃત્તિઓમાં ભ્રમણા ઊપજે છે. પણ હકીકતમાં સાધનામાર્ગે અહંભાવનો ઉદય ખૂબ વિષમ હોઈ આપણામાં લક્ષ્યહીનતા વધારી મૂકે છે. તેથી વિવેકી સદ્ગરનાં ચરણોમાં બેસી અનાદિકાલીન સંસ્કારોની ભ્રમણાના વમળમાંથી નીકળવા આંતરિક નિખાલસ સમર્પણભાવ કેળવી પ્રણિધાનના માર્ગે વૃત્તિઓને લઈ જવા પ્રયત્ન કરવો. મારા જીવનમાં દર બે-ત્રણ મહિને છેલ્લાં ત્રણ ચાર વર્ષથી એવા પીરિયડ આવ્યા છે કે, સાધનાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy