SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરના ઉદ્ગાર..... વિશ્વવત્સલ શ્રી અરિહંત પરમાત્માનો જગત ઉપર અનુપમ ઉપકાર છે. પૂર્વથી ત્રીજા ભવની અંદર સઘળાયે અરિહંત પરમાત્માઓ ‘‘જો હોવે મુજ શક્તિ ઐસી સવિ જીવ કરું શાસન રસી’’ ની ઉત્કટ ભાવના ભાવી તીર્થંકર નામકર્મનીનિકાચના કરતા હોયછે. અરિહંત પરમાત્માના પાંચે કલ્યાણકોના સમયે ચૌદ રાજલોકમાં ઉદ્યોત થાય છે. નારકી અને નિગોદના દુ:ખથી વ્યાપ્ત આત્માઓને પણ ક્ષણવાર સુખનો અનુભવ થાય છે. આ જગતમાં આધ્યાત્મિક ભૌતિકદષ્ટિએ આપણને જે કંઈ પ્રાપ્ત થયું તેમાં ઉપકાર અરિહંતપરમાત્માનોછે. અરિહંત પ૨માત્માએપ્રરૂપેલા માર્ગની આરાધના દ્વારા એક આત્મા સિદ્ધિગતિમાં પહોંચ્યોત્યારે આપણેઅવ્યવહારરાશિમાંથીવ્યવહારરાશિમાં આવી શક્યા! અરિહંત પરમાત્માએ જગતમાં અદ્વિતિય અહિંસાના સંસ્કારો ફેલાવ્યા તેના જ પરિણામે આપણને જીવન પ્રાપ્ત થયું. અરિહંત પરમાત્માનાદ્રવ્ય ઉપકાર તો અગણિત છે પણ ભાવ ઉપકારમાં પણ અરિહંત પરમાત્માની તુલના કોઈની પણ સાથે થઈ શકે તેમનથી. -જગતનેનિષ્પાપજીવનજીવવાનોમાર્ગબતાવ્યોઅરિહંત પરમાત્માએ! -આત્માનાસ્વરૂપની વાસ્તવિકઓળખાણઆપી અરિહંતપરમાત્માએ! – ક્ષણે – ક્ષણે બંધાતા કર્મોનેઅટકાવવાનોમાર્ગબતાવ્યોઅરિહંતપ્રભુએ! જગતના પ્રત્યેક જીવો. ઉપર અપૂર્વ વાત્સલ્યની ધારા વરસાવનાર અનુપમહિત ચિંતક એવા અરિહંત પરમાત્માનો ગુણ વૈભવ અખૂટ છે જે અવસર્પિણીમાં આપણે આરાધના કરી રહ્યા છીએ તે અવસર્પિણીના ચોવીસ તીર્થંકર પરમાત્માઓ, નાનું બાળક બે/ચા૨ વર્ષનું થાય ત્યારથી જ નમસ્કાર મહામંત્રની સાથે ચોવીસ ભગવાનના નામની શિક્ષા માતા- -પિતા આપે છે . તે ચોવીસ ભગવાન આત્મામાંથી પ૨માત્મા શી રીતીએબન્યા! કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ For PrivaSs Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004545
Book TitleKarma Hare Bhavjal Tare
Original Sutra AuthorN/A
AuthorHarshshilvijay
PublisherAatmashreya Prakashan
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy