SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૯૯ ૪. ચાર સંજ્ઞાઓથી દૂર, વૃઢવ્રતી, ઉત્તમ સત્ત્વવાળા અને અપ્રમત્ત મુનિવરોને હું સદાકાળ પ્રણામ કરું છું. તપસ્વી, પરીષહ અને ઉપયગોને સહન કરનારા, વિકથાઓથી મુક્ત, શ્રુતજ્ઞાનના પક્ષપાતી, પ્રશસ્ત મનવાળા, ક્ષમાશ્રમણ, પાપોથી મુક્ત, સુખદાયી, શમસહિત, સત્યના પાલક એવા સાધુ ભગવંતોને હું વંદન કરું ૬. સાધુને કરેલા નમસ્કાર પાપોનો નાશ કરનાર છે. જેઓ પુયરહિત પાપી જીવ હોય છે, તેમના દયમાં સાધુ-નમસ્કાર નથી રહેતા. સાધુને ભાવપૂર્વક કરેલા નમસ્કાર સર્વ સુખનું મૂળ છે અને મોક્ષનું કારણ છે; એટલા માટે હું ભાવપૂર્વક ભાવ નમસ્કાર કરું છું. જેનાથી હું ભવસાગર તરીને મોક્ષદ્વીપ પર પહોંચી જાઉં. આ રીતે સાધુ-પરમેષ્ઠીની સ્તવના કરીને હવે પાંચે પરમેષ્ઠીને સામૂહિક વંદના * આ વિશ્વમાં પાંચ જ પુરષો ઉત્તમ છે, એટલા માટે તેમને નમસ્કાર કરું છું. નમસ્કારને યોગ્ય, આ પાંચ સિવાય બીજું કોણ હોઈ શકે ? * સર્વ શ્રેયોમાં આ પરમ શ્રેય છે, સર્વ મંગલોમાં આ પરમ મંગલ છે, સર્વ પુણ્યોમાં આ પરમ પુણ્ય છે. સર્વ ફળોમાં આ નમસ્કાર જ પરમ ફળ છે. * આ પંચ નમસ્કાર પવિત્ર છે. શ્રેષ્ઠતર છે, શાશ્વત છે, ૧૪ પૂનો સાર છે, - પરમ રહસ્ય છે. એટલા માટે પંચ નમસ્કારની આરાધનામાં તત્પર બનો. * પંચ નમસ્કારમાં જેનું મન લીન હોય છે તે અવશ્ય દેવત્વ પામે છે. જેનામાં અલા પણ ચારિત્ર હોતું નથી, અને અલ્પ જ્ઞાન પણ હોતું નથી, એ પણ જો પંચ નમસ્કાર સૂત્ર સાંભળે યા વાંચે તો તેના ફળસ્વરૂપ તે દેવત્વ પામે છે. * જે રીતે સમુદ્રમાં રત્નની પ્રાપ્તિ દુર્લભ છે, એ રીતે સંસારમાં નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ દુર્લભ છે. * પૂર્વજન્મમાં જો આ નમસ્કાર મંત્ર પ્રાપ્ત થયો હોત તો મારાં સર્વ કર્મોનો ક્ષય કેમ ન થયો હોત ? સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે જ્યાં સુધી નમસ્કાર મંત્ર પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી તેનાં જન્મ-મૃત્યુ થતાં રહેશે. * હું ઇચ્છું છું કે મારા જન્મ-મૃત્યુનો અંત આવે ! એટલા માટે મારે પ્રાપ્ત થયેલા નમસ્કાર મંત્રની આરાધના કરવી જોઈએ. આ રીતે કુવલયમાલા” ગ્રંથનાં માધ્યમથી પંચ પરમેષ્ઠીને વંદના કરી. હવે ચંદ્રકેવલી ચરિત્ર' જેની રચના સિદ્ધર્ષિ ગણીએ વિ. સં. ૯૭૪ માં કરી હતી, તેમાં પણ નમસ્કાર વિષયક જે સંદર્ભ છે, એના માધ્યમથી કેટલીક વાતો જણાવીને પ્રવચન પૂર્ણ કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy