SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૩ ભાગ ૩ તાત્પર્ય એ છે કે નમસ્કાર મંત્રના પદોની, પ્રકૃતિ તેમજ પ્રત્યયની દ્રષ્ટિથી વ્યાખ્યા કરવી એ પદ-દ્વાર છે. પ્રસ્તુતમાં નમનો નૈપાતિક પદમાં સમાવેશ થાય છે. ૪. પદાર્થ : ‘દ્રવ્ય તેમજ ભાવથી નમસ્કાર મંત્રના પદોની સંજ્ઞા કરવી એ પદાર્થ-દ્વાર છે. ઉદાહરણ દ્વારા એ સમજાવું છું. “નમો અરિહંતાણંમાં “નમો’ શબ્દ પૂજાર્થક છે. પૂજા બે પ્રકારથી સંપન્ન થાય છે : (૧) દ્રવ્યસંકોચથી તેમ જ (૨) ભાવસંકોચથી. (૧) હાથ, પગ, મસ્તક વગેરે નમ્ર બનાવવા, નમાવવા દ્રવ્યસંકોચ છે. (૨) અરિહંત વગેરેના ગુણોમાં વિશુદ્ધ મનને જોડવું ભાવસંકોચ છે. દ્રવ્યસંકોચ અને ભાવસંકોચથી ચાર ભંગ થાય છે? (૧) દ્રવ્યસંકોચ હોય, પરંતુ ભાવસંકોચ ન હોય, (૨) ભાવસંકોચ હોય, પરંતુ દ્રવ્યસંકોચ ન હોય, (૩) દ્રવ્યસંકોચ હોય અને ભાવસંકોચ પણ હોય, (૪) દ્રવ્યસંકોચ ન હોય, ભાવસંકોચ પણ ન હોય. ત્રીજો ભંગ સર્વથા શુદ્ધ છે. બીજો ભંગ પણ શુદ્ધ મનાય છે. કારણ કે ભાવસંકોચ સર્વથા શુદ્ધ તેમજ શ્રેષ્ઠ છે. આ વિષયમાં આ ગ્રંથમાં મહારાજા શ્રીકૃષ્ણના બે પુત્રો - પાલક અને શાંબકુમારનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. પાલકકુમાર અને શબકુમાર એ સમયની વાત છે કે જ્યારે કૃષ્ણ દ્વારિકામાં રાજ્ય કરતા હતા. ૨૪મા તીર્થંકર શ્રી નેમિનાથ દ્વારિકાના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા. મહારાજા શ્રીકૃષ્ણ ભગવાન નેમિનાથ પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ - સ્નેહભાવ રાખતા હતા. તેમણે તેમના બે રાજકુમારોને બોલાવ્યા. પાલકકુમાર અને શાંબકુમાર ઉપસ્થિત થયા. શ્રીકૃષ્ણ બંને પુત્રોને કહ્યું. “તમારા બેમાંથી કાલે સવારે જે સર્વ પ્રથમ ભગવાન નેમિનાથને વંદન કરશે, તેને ઉત્તમ અશ્વ ભેટ આપવામાં આવશે.” બંને રાજકુમારો પ્રસન્નચિત્ત થયા. પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પાલક વિચારે છે કાલે સવારે જલદી ઊઠીને ભગવાનની પાસે જઈશ. શાબની પહેલાં પહોંચી જઈશ. અશ્વ મને મળશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy