SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩ ૧૬૯ છે, તેઓ અરહંત' કહેવાય છે. તેઓમાં શ્રેષ્ઠ આઠ મહાપ્રાતિહાર્યની યોગ્યતા હોય છે. તેઓ મનુષ્ય, દેવ અને દાનવોથી પૂજિત હોવાની યોગ્યતા ધરાવે છે. એમનો મહિમા અચિંત્ય હોય છે. તેઓ કેવળજ્ઞાનથી અધિષ્ઠિત હોય છે. બીજું નામ છે ‘અરુહંત.' સર્વ કર્મોનો ક્ષય થવાથી, સંસારના સર્વ અંકુરો બળી જવાથી ફરીથી પેદા થતા નથી. તેઓ ફરીથી જન્મ લેતા નથી. ફરીથી જન્મ ન હોવાને કારણે તેઓ ‘અરુહંત’ કહેવાય છે. ત્રીજું નામ છે ‘અરિહંત ’ આ નામ આપણે ત્યાં પ્રચલિત છે. ‘અરિ’ એટલે શત્રુ અને ‘હંત’નો અર્થ છે હણનાર. જેમણે આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓનો નાશ કરી નાખ્યો છે, દૂર કર્યા છે, પરાજિત કર્યા છે, આ કર્મશત્રુઓને પાછા પાડી દીધા છે, તેઓ ‘અરિહંત’ કહેવાય છે. આ સંક્ષિપ્ત અર્થ છે અરિહંતનો. * ૨. સિદ્ધ'નો અર્થ : હવે સિદ્ધનો અર્થ સાંભળી લો. અચલ શુક્લધ્યાનની અચિંત્ય શક્તિથી તેમ જ અપૂર્વ પરાક્રમથી યોગનિરોધ કરીને જેમણે પરમાનંદસ્વરૂપ, મહોત્સવરૂપ અને મહાકલ્યાણરૂપ અનુપમ સુખ સિદ્ધ કર્યું છે, તેઓ સિદ્ધ' કહેવાય છે. આઠ પ્રકારનાં કર્મોનો ક્ષય કરવાથી જેઓ સિદ્ધ બને છે અને બનશે તેઓ સિદ્ધ કહેવાય છે. અથવા જેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થઈ ગયાં છે, એટલે કે સમાપ્ત થઈ ગયાં છે તે સિદ્ધ કહેવાય છે. - આ રીતે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, અન્ય લિંગ, ગૃહસ્થલિંગ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત.. યાવત્ કર્મક્ષયસિદ્ધ આદિ અનેક પ્રકારથી સિદ્ધ હોય છે. ૩. ‘આચાર્ય’નો અર્થ : * જેઓ ૧૮ ૬જાર શીલાંગોને ધારણ કરે છે, ૩૬ પ્રકારના આચારોનો યથાર્થરૂપે ગ્લાનિ વગર પ્રતિસમય પાલન કરે છે અને પ્રવર્તન કરે છે તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. * * બીજો અર્થ : બીજાંનું તેમજ પોતાનું આત્મહિત કરે છે એટલા માટે ‘આચાર્ય’ કહેવાય છે. હિતનું આચરણ કરવાથી આચાર્ય કહેવાય છે. * ત્રીજો અર્થ : પ્રાણ જતો હોય તો જાય, ભલે જાય, પરંતુ પૃથ્વીકાય વગેરે જીવોનો સમારંભ (હિંસા) કરતા નથી, કરાવતા નથી અને કરવાની આજ્ઞા આપતા નથી, એટલા માટે તેઓ ‘આચાર્ય’ કહેવાય છે. * ચોથો અર્થ કોઈએ મોટો અપરાધ કર્યો હોય તો પણ તેનું મનથી ય અશુભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004543
Book TitleShravaka Jivan Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy