SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શ્રાવકજીવન – તેમનું લક્ષણ છે વૈરાગ્ય - અનુકંપા. તમે લોકો સમક્તિ વૃષ્ટિ તો છો ને ? સમક્તિનો ગુણ પ્રકટ થઈ ગયો છે ને ? આત્મનિરીક્ષણ કરજો. પોતાની અંદર જોજો. દુઃખી મનુષ્યને એવી પ્રેરણા, એવો ઉપદેશ આપવો જોઈએ કે એના હૃદયમાં વૈરાગ્યભાવ જાગૃત થાય. આ ભાવ-અનુકંપા અમે સાધુ-સાધ્વી કરી શકીએ છીએ. આપણે ભાવ-અનુકંપા કરવી જોઈએ અને દ્રવ્ય-અનુકંપાનો ઉપદેશ આપવો જોઈએ. વિચારોમાં પરિવર્તન કરવું આવશ્યક ઃ તમારું કર્તવ્ય જુદું છે. અમારું કર્તવ્ય જુદું છે. દુઃખી જીવો પ્રત્યે તમારે દ્રવ્યઅનુકંપા કરવાની છે, અમારે ભાવ-અનુકંપા કરવાની છે. ભાવ-અનુકંપા કરતી વખતે દુઃખી મનુષ્યોનું વિચારપરિવર્તન કરવાનું હોય છે. રાગ-દ્વેષમય વિચારોને મિટાવવાનું કાર્ય મહત્ત્વનું કાર્ય છે. બ્રેઈન વૉશિંગ” કરીને એના મનમાં શાન્તિ, પ્રસન્નતા અને વિરક્તિના ભાવ ભરવાના હોય છે. જ્યારે વિચારોમાં વિરક્તિ આવી જાય છે ત્યારે મનુષ્યનું અડધું દુઃખ ઓછું થઈ જાય છે. મનુષ્ય તન અને ધનથી જેટલો દુઃખી હોય છે એનાથી વધારે મનથી દુ:ખી હોય છે. રાગ-દ્વેષ મનુષ્યને વધારે દુઃખી કરે છે. રાગ-દ્વેષ મનના દોષ છે, તેમને દૂર કરવા ભાવ-અનુકંપા છે. અનુકંપા કરનારાઓને પણ ફાયદો : દુઃખી લોકોને અનુકંપા કરીને તમે એમની કૃતજ્ઞતા, સ્નેહ અને આદર પામો છો. જે કોઈ ને કોઈ રૂપમાં માનસિક વ્યગ્રતામાં તમારી રક્ષા કરે છે. વૈજ્ઞાનિકોએ હવે શોધી કાઢ્યું છે કે સારાં કાર્યોથી તમારી રોગપ્રતિરોધક શક્તિને પણ લાભ થાય છે. મસ્તિષ્ક અને આ રોગપ્રતિરોધક શક્તિનો એકબીજા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. જ્ઞાનતંતુ મગજને અસ્થિમજ્જા તથા પ્લીહાથી જોડે છે. જે રોગની સંક્રામકતા સામે લડવા માટે અપેક્ષિત કોશિકાઓનું ઉત્પાદન કરે છે. સંશોધકોએ આ સિદ્ધ કર્યું છે કે શ્વેત રક્તકણો મગજ દ્વારા ઉત્પાદિત રસાયણો - "ન્યૂરોપેપ્ટાઈડો” પ્રત્યે અતિ-અધિક સંવેદનશીલ હોય છે. હાર્વર્ડ વિશ્વવિદ્યાલય(માસાચુસેટ્સ)ના મનોવૈજ્ઞાનિક ડેવિડ મેકવેલેલેડે વિદ્યાર્થીઓને પરહિતવાદ(અનુકંપા)ની મધર ટેરેસાની એક ફિલ્મ દેખાડી. તેમાં તે કલકત્તાના રોગી અને ગરીબ લોકો વચ્ચે કાર્ય કરી રહી હતી. એ સમયે વિદ્યાર્થીઓની લાળનું વિશ્લેષણ કરવામાં આવ્યું. લાળમાં ઈમ્યુનોગ્લોબિન "એ"ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy