SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ - પ્રિય વ્યક્તિનું મોત થઈ જાય છે. કોઈ પ્રબળ ઇચ્છા સફળ ન થઈ હોય. આ છે દીનતાનાં મુખ્ય કારણો. દીન વ્યક્તિ સાથે તમે કેવો વ્યવહાર રાખો છો ? પહેલી વાત તો એ છે કે તેની સાથે અભદ્ર અને નિર્મમ વ્યવહાર ન કરો. કારણ કે તમે એને સહાય કરવા ઇચ્છો છો અને તેના દુઃખમાં ભાગીદાર બનવા ઇચ્છો છો. તમે એ દીન વ્યક્તિને સહ્દયતાથી પૂછો : "હું તને કઈ રીતે સહાયતા કરી શકું?” જ્યારે તે તમને પોતાની નિરાશાની વાત કરે ત્યારે તમે પોતાના જીવનની એવી જ ઘટના કહેવાની શરૂઆત ન કરો. તમારી વાત સાંભળવામાં એને રસ નથી. ત્યારે તમે એ દીન-પીડિત વ્યક્તિની ભાવનાઓ ૫૨ ધ્યાન કેન્દ્રિત કરો. સાવ સાથે તમારી પ્રતિક્રિયા વ્યક્ત કરો. હા, તમે એટલું કહી શકો કે : "હું પણ આવી પરિસ્થિતિ ભોગવી ચૂક્યો છું, એટલે અનુભવી શકું છું કે આવી પરિસ્થિતિમાં તમને શું થતું હશે.” પરંતુ એની સામે તમારું રુદન કરવાનું શરૂ ન કરતા. તમે એ દીન વ્યક્તિની વાતો ધ્યાનથી સાંભળો. એને એવું ન લાગવું જોઈએ કે તેની વાતથી તમારું મનોરંજન થઈ રહ્યું છે. તમારા મુખ ઉપર તો સહાનુભૂતિના જ ભાવ રહેવા જોઈએ. શ્રાવકજીવન કેટલીક શોકાતુર વ્યક્તિઓ પોતાની વેદના શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી, તેમની પીડા પણ સમજવી જોઈએ. તેમને સ્વાસ્થ્યના અંગે અને દિનચર્યાના વિષયમાં વારંવાર પૂછીને પરેશાન ન ક૨વી જોઈએ. બસ, એમને એટલું જ કહો કે ઃ "હું તમારી તબિયત અંગે ચિંતિત છું, પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમે જલદી સારા થઈ જાઓ.” જ્યારે તમે કોઈ અસાધ્ય રોગીને જોવા જાઓ તો ત્યાં એ બતાવવાનો પ્રયત્ન કરો કે તમે એનું કેટલું ધ્યાન રાખો છો, અને જરૂર પડતાં હાજ૨ રહેજો. સ્પર્શ કરતાં ડરો નહીં. હાથ પંપાળવા અથવા માથે હાથ ફેરવવો. એને આ ક્રિયા શબ્દો કરતાં વધારે રાહત આપનારી બનશે. જો તમને કોઈ આત્મીય જનનો શોક અસામાન્ય રૂપે પ્રબળ અને લાંબી અધિ સુધી વ્યાપતો દેખાય તો તેને જણાવો કે તમે એનાથી ચિંતિત છો. તમે કહી શકો કે "જે પીડા તમારે સહન કરવી પડે છે તે ચોક્કસ કઠણ છે, પરંતુ એમ ન સમજો કે તમે એકલા છો, હું પણ તમારી સાથે છું." સભામાંથી ; અમને લોકોને એવું નથી આવડતું. મહારાજશ્રી : ઠીક છે. ઘણા લોકો નથી જાણતા કે કોઈ પણ વિપત્તિ યા શોકના સમયે શું કહેવું અને કેવું વર્તન કરવું. પરંતુ જો એનો આરંભ સામાન્ય સહૃદયતાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy