SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકજીવન માની લો કે ઉપાશ્રયમાં બે યા ત્રણ જ સાધુઓ છે. બધા વૃદ્ધ છે, અશક્ત છે. ગોચરી પાણી લેવા તમારે ઘેર આવી શકતા નથી. આવી સ્થિતિમાં તમે લોકો ઉપાશ્રયમાં જઈને ગોચરી (ભોજન-પાણી) આપી શકો છો. ૧૬૮ - એ રીતે સ્વયં પોતાનાં વસ્ત્રો ધોઈ શકતા નથી, તો તમે અચિત્ત જળથી ઉપયોગપૂર્વક વસ્ત્રપ્રક્ષાલન કરી શકો છો. વૈદ્ય યા ડૉકટરની સૂચના હોય તો તેમના શરીરને અચિત્ત જળથી સ્પંજ કરી શકો છો. તેમની પાસે બેસીને તેમને કોઈ ધર્મગ્રંથ સંભળાવી શકો છો. કોઇ સ્તવનસજ્ઝાય ગાઈને સંભળાવી શકો છો. આ સેવા-વૈયાવચ્ચનો મહાન ધર્મ છે. આ ધર્મ જન્મોજન્મ આત્મા સાથે ચાલે છે. શ્રેષ્ઠ સુખસમૃદ્ધિ આપતો રહે છે. એટલા માટે જ્યારે બીમાર, વૃદ્ધ, બાળ સાધુસાધ્વીની સેવા કરવાનો અવસર આવે-મળે ત્યારે પ્રમાદ ન કરવો, ઉપેક્ષા ન કરવી. પોતાનાં તન-મન-ધનની શક્તિનો ઉપયોગ કરવો એ જ સદુપયોગ છે. ગ્રંથકાર આચાર્યદેવે "કૃતાકૃતપ્રત્યુપેક્ષા"ને આટલું મહત્ત્વ આપ્યું છે તો આપણે પણ આ મહત્ત્વને સમજવું જ જોઈએ. પોતાનાં કર્તવ્યોનું પાલન સંપૂર્ણ રૂપથી થાય એટલા માટે પ્રતિદિન ગંભીરતાથી વિચારવાનું છે કે "આજે મેં કયાં કાર્યો કર્યાં અને કાં કાર્યો નથી કર્યાં. વિશેષ રૂપથી મંદિર તેમજ બીમાર વગેરેનાં કોનાં કાર્યો કર્યાં અને કોનાં નથી કર્યાં.” આ વિચારવાની ટેવ પાડો. એથી કાર્યદક્ષતા વધશે. તમે કાર્યકુશળ બનશો. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy