SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 5 S - મૃત્યુ માણવા જેવું છે! મૃત્યુનો શોક માનવીને અવાક કરી મૂકે છે. વિલાપ ને કકળાટ...કંદન ને તરફડાટથી કશું જ વળતું નથી... વ્યક્તિ નિયતિની સમક્ષ નિરાધાર બનીને ટળવળે છે ! આ પરિસ્થિતિમાં આશ્વાસનના અમળાઈ ગયેલા શબ જેવા શબ્દો પણ માણસને ગળાડૂબ ગમગીનીના ગારામાંથી નથી ઉગારી શકતા મૃત્યુ તો જાણે જમ્યા ત્યારથી જ આપણી સાથે ને સાથે જ ચાલે છે... શ્વાસ લેતા હોઈએ છીએ એટલામાં તો જીવનથી આપણે કેટલા દૂર નીકળી જતા હોઈએ છીએ....કદાચ મૃત્યુજ આપણને જીવનની સમીપ લાવે છે! ત્યારે થાય છે? Where is Life ? We have lost in living! પણ જો જાગૃત હોઈએ..... તો ચિંતાની જ્વાળામાંથી પ્રગટેલો ચિંતનનો દીવો જીવનને અને એની પારના પ્રદેશને અજવાળી દે છે ! શ્વાસની સૃષ્ટિને સમેટી લેવામાં મૃત્યુનો વિજય છે.... પણ સ્મરણોની સદાબહાર સૃષ્ટિને મૃત્યુ ક્યારેય નથી સમેટી શક્યું......એમાં તો એની હારે જે 6 છે! મૃત્યુમાંથી જન્મે છે શોક...શોકમાંથી જન્મે છે સ્થળ કાળ પર છવાયેલા ઘવાયેલા સંસ્મરણો..... અને એમાંથી નીતરે છે, આપોઆપ આવિર્ભત બને છે ચિંતન! ચોંટાડેલું કે થીગડાં મારેલું નહીં! પણ એવું ચિંતન કે જેમાંથી લીધેલું સમાધાન અને એમથી સાંપડેલી શાંતિ ચિરસ્થાયી બની રહે! વિચારપંખી - 70 C ontesional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy