SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ Jal Education International તરો, પણ તણાઈ ના જાવ ! તરવું કે તણાવું – બન્ને જુદી વસ્તુ છે. જિંદગીમાં મોટા ભાગે આપણે તણાઈ જતા હોઈએ છીએ. પછી પ્રવાહ લાગણીઓનો હોય કે ભાવનાઓનો હોય ! પ્રવાહમાં વહી જનારા ક્યારેય સામા કિનારે પહોંચી શકતા નથી, કારણ કે કિનારા તરફ એમની નજર રહી શકતી જ નથી ! ક્યારેય પણ લાગણીઓમાં વહી જવાથી બચવું જોઇએ ! શાંત સંતુલિત અને સ્વસ્થ જીવનયાત્રા માટે આ બહુ જરૂરી છે ! જેઓ સંતુલિત રહે છે તેઓ જ જીવન જીતી જાય છે ને જીવી જાય છે. જ્યારે તણાઈ જનારા ‘બેલેન્સ’ ગુમાવી બેસનારા મોટા ભાગે જીવન હારી જાય છે. કારણ કે ડૂબવાનો ડર તરનારા કરતાં તણાઈ જનારના માથે વધુ ઘેરાતો રહે છે! જીવનના ઘણાં બધાં પાસાં છે....પ્રેમ....કર્તવ્ય, ભાવના, લાગણી, વ્યવહાર....આ બધામાં તણાઈ ના જાવ ! ચારે બાજુનું વિચારીને......નિર્ણય કરો ! સંસારના સાગરમાં તર્યા કરશો તો આજે નહીં તો કાલે પણ કિનારા તરફ ગતિ કરી શકશો. પણ જો તણાઈ ગયા તો પછી તળિયે પહોંચતા વાર નહીં લાગે! વિચારપંખી - ૭૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy