SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પડદો હટાવો ને....! ! પડદો મખમલનો હોય કે મલમલનો....પડદો આખર પડદો છે ! આત્મા અને પરમાત્માની વચ્ચે પણ જાતજાતના અને ભાતભાતના પડદાઓ પડેલા છે. પાપોના પડદા.... વાસનાઓના પડદા....જેના કારણે આપણે ૫૨માત્માને પામી નથી શકતા...આ જીવનમાં જો એ તમામ પડદાઓને અળગા કરી દઈએ તો...આપણો આત્મા પરમાત્મામાં સમાઈ જાય....! પણ આપણા રામ તો રોજ નવા-નવા પડદા ૨ચ્ચે જાય છે! પછી ક્યાંથી સાંપડે આપણને પરમાત્માનું ઐકટ્ય? કેવી રીતે આત્માની આરસીમાં પરમાત્માની છબિ ઉપસશે?વાસનાઓના ડાઘાઓથી આત્માનો આઈનો ધુંઘળાઈગયોછે....ભક્તિનીભીનાશથીએ આ૨સીને માંજીએ....આ આંખોમાં અવિનાશીના આકર્ષણને આંજીએ....પછી જુઓ....!પાપોના પડદા કેવા ચીરાય છે ! અને પરમાત્મા આપણી એકદમ પાસે....! તદ્દન નિકટ....જાણે ‘વહેત છેટો વાલમો।’ અરે, પછી આપણી અને પરમાત્માની વચ્ચે લગીરે અંતર નહીં રહે ! Jain Concation Intemational વિચારપંખી - ૩૮ For Private & Personal Use Only ✰✰✰ www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy