SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International આરતી ઉતારો - www ખરી? પણ આ રીતે ! તમે ક્યારેક પરમાત્માની આરતી ઉતારી છે મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે..... દીવા ઝળુંઝનું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પૂરાય છે. અને મીઠા સૂરો/શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે ? આપણા અંતઃકરણની આર્તતા....વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી ! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્ટ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઉઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઉઠે, ત્યારે જે આરતી ઉતરશે, એ આરતી ખરેખર અતિને દૂર કરનારી હશે ! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની ! આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય....હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની રેલી ને હાથમાં આરતી.... સમજો, તમારી અતિ દૂર થઈ જ જવાની ! વિચારપંખી ૧૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004536
Book TitleVicharpankhi
Original Sutra AuthorN/A
AuthorSnehdip
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1992
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy