SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રતિલાલ ઠપચંદ દેસાઈ (જન્મ : તા. ૧૨-૯-૧૯૦૭, અવસાન ઃ તા. ૭-૧૨-૧૯૮૫) વિષમય કાળમાં ય અમૃત સમીપે દોરે તેવી, ફરી ફરી પાછું વળીને જાણવા- સમજવા-અપનાવવાનું મન થાય એવી ઘરેલુ બંધુ-બેલડીની વાત છે. રતિભાઈ અને બાલાભાઈ (“જયભિખ્ખું') એક-બીજામાં, કુટુંબમાં અને સંસ્કારપ્રેમી સમાજમાં સુંદર રીતે ગૂંથાતા રહી સહુમાં ધન્યતા વહેંચતા ગયા. વળી બંને એકબીજાનાં ગુણો, નામના ઉત્કર્ષ જોઈને રાજી થનારા. છ વર્ષ તો રસોડું ય હતું સહિયારું. જીવનભર પ્રેમાદરથી એકબીજામાં ઓતપ્રોત થતા રહેલા. આવી પરસ્પરની કાયમી અમીદ્રષ્ટિથી ચઢિયાતી બીજી કઈ કમાણી ? તાસીર બંનેની અલગ-અલગ, પણ બંનેએ સાહિત્યનાં અને પુરુષાર્થનાં જુદાં જુદાં રૂપો દ્વારા સમાજની દિલદાર સેવા કરી, જુદી જુદી રીતે પ્રભુનાં જ કાર્યો કર્યા. રતિભાઈના પિતાશ્રી “દીપા-ભગત'; ધર્મધ્યાનના જબરા રસિયા. પત્ની શિવકોરબેન ત્રણ નાનેરા દીકરા મૂકી જીવનથી ખૂબ વ્હેલાં પરવાર્યા, છતાં દીપચંદભાઈ સંતાન-ઉછેર ખાતર પણ બીજા જેમ ફરી પરણ્યા તો નહીં જ, ઊલટું, એક તબક્કે છોકરાંને મોટા ભાઈને ભરોસે છોડી, પોતાની સાથે રહેતી બાળવિધવા બહેન ઘેરીને ય એ ભત્રીજાઓની માયામાંથી છોડાવી, સાથે લઈ, મુનિધર્મને વર્યા !રે ધર્મઘેલછા ! રતિભાઈ તો ગૃહસ્થપણું અપનાવી પોતાની નિર્મળ વૃત્તિથી ક્રિયાકાંડ કે વેષ વિનાના ગૃહમુનિ બની રહ્યા – યુગપલટાને, ગાંધી-મહિમાને, ચિત્તશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિરૂપ ધર્મ-સારને પારખનારા. બાલાભાઈના પિતા વીરચંદભાઈ તે દીપચંદભાઈના મોટા ભાઈ. ચાર ચોપડીના ભણતરે પણ, દેશી રાજ્યના બાહોશ કારભારી બન્યા. પાછા જબરી કુટુંબભાવનાવાળા. કેવી સમતુલા ! તેમણે પોતાના બહોળા વિસ્તાર ઉપરાંત નાના દીપચંદના ત્રણ દીકરાને અને વચેટ સદૂગત જીવરાજનાં એકએક દીકરા-દીકરીને પણ પોતાનાં ગણી તેમના પૂરા ઉછેરની ગોઠવણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004535
Book TitleShatabdi Vandana
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy