SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ‘દશમું સ્વપ્ન સૂચવે છે કે આપ માણસ અને દેવ બંનેને કલ્યાણકારી ઉપદેશ આપશો.' આમ ઉત્પલે નવ સ્વપ્નના ફલાદેશ કહ્યા, ને છેવટે કહ્યું : ‘સ્વામી ! ચોથા સ્વપ્નનો ફલાદેશ મારા મનમાં બરાબર ઊતર્યો નથી ! માટે મેં કહ્યો નથી. ખોટો અર્થ કહેવો તેના કરતાં ન કહેવો હું શ્રેષ્ઠ સમજું છું.’ ઉત્પલની નિખાલસતાથી મહાવીર પ્રસન્ન થયા. તેઓ બોલ્યા : ‘ભાઈ ઉત્પલ ! દરેક વિદ્વાન અર્થની બાબતમાં તમારા જેવો વિવેક જાળવે, તો કેવું સારું ! ચોથા સ્વપ્નનો અર્થ હું કહું છું. એમાં બે ફૂલમાળા દેખાઈ હતી. એનો અર્થ એ કે હું બે પ્રકારનો ધર્મ રજૂ કરીશ. એક સાધુએ પાળવાનો ધર્મ; બીજો, ગૃહસ્થે પાળવાનો ધર્મ !’ ઉત્પલ આ સાંભળી મહાવી૨ના જ્ઞાન પર પ્રસન્ન થઈ ગયો. મહાવીરે એ ચાતુર્માસ એ જ યક્ષમંદિરમાં પૂરો કર્યો. Jain Education International For Private & Personal Use Only ૮૦ ૭ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy