SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કુલપતિ મૂંગો મૂંગો પાછો ફર્યો. પણ તાપસો હવે છૂટે મોંએ ટીકા કરવા લાગ્યા : “અરે આવા અકૃતજ્ઞ, ઉદાસી ને આળસુ પાડોશીથી સર્યું ” મહાવીરને એ અપ્રીતિની તરત ભાળ પડી ગઈ. વર્ષાઋતુનો એક પક્ષ પસાર થયો હતો. માથે કાળાં વાદળ ગડેડાટ કરતાં હતાં. મહાવીરે ત્યાં ને ત્યાં પાંચ સંકલ્પ કર્યા. ૧. અપ્રીતિ થાય તેવા સ્થળે ન રહેવું. ૨. ધ્યાનને અનુકૂળ જ જગ્યા શોધવી. ૩. પ્રાયઃ મૌન રહેવું. ૪. હાથમાં જ - કરપાત્રથી ખાવું. ૫. ગૃહસ્થની ખુશામત ન કરવી. આ પાંચ સંકલ્પ સાથે મહાવીર તરત ત્યાંથી નીકળી પડ્યા. અપ્રીતિનું સ્થાન છોડતાં એમને વાર ન લાગી. આ સંકલ્પોએ સારાં, અનુકૂળ નિવાસસ્થાનો તેમને માટે અશક્ય બનાવ્યાં. ઉજ્જડ અરણ્યો, ખંડેર મહાલયો, ભૂતિયાં મકાનો ને ખખડધજ ચૈત્યો જ તેમનાં નિવાસસ્થાન બન્યાં. પણ મહાવીર એ તો મહાવીર જ. ભય કે ક્ષોભનું ત્યાં શું કામ ? પાંચ સંકલ્પો ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy