SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સર્વસ્વનો ત્યાગ ભોગકરમફળ રોગ તણી પેરે, ભોગવે રોગ નિવારી; પરવાળા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી. જીવનનાં જળ વળી એક વર્ષ પૂરતાં વહી ગયાં. મોટા ભાઈને આપેલી અવધમાં અડધી અવધ તો વીતી ગઈ. વર્ધમાનને મન તો ઘર અને અરણ્ય સરખાં હતાં. એ રાજમહેલમાં ઝૂંપડીના ભાવા જગાડી રહ્યા હતા. મેવામીઠાઈઓને એક સાધુની માધુકરી સમજી આરોગી રહ્યા હતા. ભોગપ્રેમી રાજકુળમાં ત્યાગનો પ્રેમ એ જગાવી રહ્યા હતા. મોટા ભાઈ, પત્ની, પુત્રી, સ્નેહી-સ્વજનો હવે વર્ધમાનના રાજત્યાગની વાતને આંસુથી અંજલિ આપતાં નહોતાં. આદર્શમૂર્તિના આદર્શને એ વંદતા થયાં હતાં. તેઓ પણ વર્ધમાનના પ્રસ્થાનને પ્રેમ ને સ્નેહથી વધાવવા પોતાનાં હૈયાંને સ્વસ્થ કરી રહ્યાં હતાં. Jain Education International : આ વખતે ધર્મતીર્થના પૂજારીઓ દેવર્ષિઓ વર્ધમાન પાસે આવ્યા. એ ધર્મતીર્થનાં ઘડિયાળાં બજાવનાર ચોકીદાર જેવા હતા. તેઓએ કહ્યું : ‘આપનો જય હો ! આપ ધર્મ પ્રવર્તાવો ! આપ તીર્થ પ્રવર્તાવો ! સંસાર પોતાના કલ્યાણ ને સુખ માટે, આપ તરફ અપેક્ષા રાખી રહ્યો છે.’ યોગની દશાને વરેલા વર્ધમાનને જાગ્રત કરવા જેવું કંઈ હતું જ નહિ. ૫૨ - ભગવાન મહાવીર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy