SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ : ‘કર્મ માત્રનો નાશ ! આત્મિકને આનંદનું સામ્રાજ્ય ! જન્મ ને મરણબંનેનો નાશ !' ‘તમને દુશ્મનો નહિ હોય ?' ‘મારા રાજ્યમાં માણસ માણસનો દુશ્મન નહિ હોય, જીવ જીવનો દુશ્મન નહિ હોય. દુશ્મન માત્ર છ હશે ! ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ.’ ‘એ પ્રેમરાજ્યમાં પાપસ્થાનક હશે કે નહિ ?’ મારા રાજ્યમાં પાપનાં સ્થાન માત્ર ૧૮ હશે. હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, સંગ્રહ વગેરે.’ ‘તમારી ભાવના કેટલી ?’ ‘ચાર : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થતા.’ ‘તમારા શાસન નગરના નાગરિકોનો ધર્મ ? ‘જ્ઞાન મેળવવું. એ વિશે દર્શન (શ્રદ્ધા) મેળવવું. સંયમ સેવવો. તપ આચરવું. પરાક્રમ ફોરવવું. ઉપયોગ રાખવો - દરેક વાતમાં જાગૃતિ રાખવી.’ ‘તમારા શાસનનાં મૂળભૂત સૂત્રો ક્યાં ?’ ‘જ્ઞાન, દર્શન ને ચારિત્ર. આ સૂત્રત્રયી. જ્ઞાન વડે સાધક બધું જાણે. દર્શન વડે એની સત્યતાની ખાતરી કરે. ચારિત્ર-મન, વચન, કાયને નિયમનમાં રાખે.’ ‘ભાઈ ! તારા આકાશી રાજ્યને હું વંદું છું. હું પણ એનો નાગરિક થવા ઇચ્છું છું, પણ મારી એક માગણી છે !' ‘શી ?’ ‘આવું અવનવું શાસન-નગર વસાવો, ત્યારે નાગરિક થવા વગર બોલાવ્યો ચાલ્યો આવીશ, પણ આજ તો, પ્રેમમૂર્તિ થઈને ઘા ઉપર મીઠું ન ભભરાવશો.’ ‘તમારો કહેવાનો અર્થ ન સમજ્યો.' ‘અર્થ એટલો જ કે માતા-પિતાના વિયોગનો ઘા હજી તાજો જ છે, એમાં તમે બંધુવિયોગ કરાવી, ઘામાં મીઠું ભભરાવશો મા !' ‘મોટા ભાઈ, તમારી ઇચ્છા એ મારે મન ધર્મઆજ્ઞા છે !' ૫૦ Jain Education International For Private & Personal Use Only ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy