SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એમાંય બીજા રાજકુમારો કરતાં ગણતંત્રના રાજકુમારો માટે તો જીવનવિકાસના સર્વ અવકાશો હતા. ત્યાં ગુણની પૂજા હતી, જન્મની નહિ. યોગ્યની ઇજ્જત હતી, અયોગ્યને સ્થાન નહોતું. સહુ કહે છે : વર્ધમાન પણ એક દિવસ વૈશાલીના નવસો નવ્વાણું રાજાઓમાં અદકેરું સ્થાન પામશે. પવિત્ર પુષ્કરણીના જળનો મહાઅભિષેક એને મસ્તકે ચડશે ! વળી વૈશાલીના રાજા ચેટકનો એ લાડકો ભાણેજ છે. એ સગપણ-સંબંધ દાવે પણ અનેકગણી શક્યતાઓ એને માટે રહેલી છે ! મોટા ભાઈ નંદીવર્ધન પણ અન્ય રજવાડાંઓમાં જોવા સુલભ ન થાય, એવા ગુણવાળા વડીલ બંધુ છે. પોતે મોટા છે, પણ મોટાઈ નથી. વર્ધમાન નાના છે, પણ નાનાઈની ભાવના નથી. મોટા ભાઈના એમના પર ચાર હાથ છે. નાના ભાઈને પૂછ્યા વિના પાણી પણ એ પીતા નથી ! નાનો ભાઈ શું કહે છે કે શું કહેશે ! પણ નાના ભાઈ તો હવે જુદી તૈયા૨ી ક૨વા લાગ્યા છે તે જોઈને મોટા ભાઈએ કહ્યું : ‘વર્ધમાન ! આ રાજશાસન, રાજવૈભવ, ભોગવિલાસ બધાં તારાં છે. આ રાહકૂમત પણ તારી ! બીજા આડાઅવળા વિચાર ન કરીશ.' ‘મારું રાજ જુદું છે વડીલ બંધુ ! મારી રાજહકૂમત અનોખી છે. મારો રાજધર્મ ભિન્ન છે. મને રાજ રાજ વચ્ચેના સાંકડા સીમાડા નથી ગમતા.’ વર્ધમાન જાણે કોઈ દિવ્ય સ્વપ્ન નીરખતા હોય, એવો ભાવ તેમના મુખ ૫૨ રમતો હતો. ‘એ વિશે હું કંઈ જાણવા માગું તો ?' મોટા ભાઈએ ઓછા ઓછા થતાં કહ્યું . ‘મારું રાજ પ્રેમ અને દયાનું છે. શક્તિ ત્યાં દાસી છે, સામગ્રી નહિ.’ ‘અને રાજધર્મ ?’ ‘ક્ષમા અને ઉદારતાનો ! ગમે તેવા પાપીને ત્યાં સજા નહિ, સત્કાર થાય છે. દિલ આપી દિલ જીતી લેવાનો એ નવો શાસનપ્રકાર છે.’ ‘અને રાજહકૂમત !' ભરત જેવા ભાઈ ૫ ૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy