SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મહર્ષિઓ સંસારને એ નાવથી તરે છે ! એ નાવને સંભાળ ! એ નાવિકને જગાડ !' યશોદા કહે છે : “શું તમે જગતને મૃત્યુથી તારશો ?' વર્ધમાનકુમાર જવાબ વાળે છે : “જરૂર ! મૃત્યુનો જ છેદ ઉડાવી દઈશ ! ન રહેશે વાંસ, ન બજશે વાંસળી ! અજ્ઞાની જીવો પળે પળે મરે છે ! જ્ઞાની જીવો એક જ વાર મરે છે ! મેં મૃત્યુના મારણનો માર્ગ શોધ્યો છે ! મૃત્યુ મરી ગયું, પછી કોણ મરશે ?' યશોદા કહે છે : “એ શી રીતે ? મૃત્યુને કોણ મારી શક્યું છે ? “મૃત્યુ ધર્મથી મરે છે !” યશોદાનું મન તૃપ્તિ પામે છે. એ કહે છે “નાથ ! તમારું સુખ જગતના સુખમાં છે અને મારું સુખ તમારા સુખમાં છે !” યશોદા ! કેવી મહાન પત્ની તું ! તારા સૌભાગ્ય કરતાં જગતના સૌભાગ્યની તને વધુ ખેવના છે. રે ! સંસાર કડવો વખ થઈ જાય, સંબંધ બધા ખાટા થઈ જાય, અંગ બધાં ખોટાં પડી જાય, પછી સૌ સંસાર છોડે એવો હું નથી, હું તો સંસાર મીઠો હોય ત્યારે જ એને છોડવા માગું છું ! અને તેય નાસીને, કે ભાગીને નહિ ! પ્રાતઃકાળનો સૂર્ય આખો દિવસ પોતાનું કાર્ય પૂરું કરી જેમ સાંજે ચાલ્યો જાય છે, સંસાર એનો શોક ધરતું નથી, કારણ કે ફરી નવી આશા ને તેજ સાથે તે ઊગવા જાય છે ! એમ હું જવા માગું છું.” જેમાં તમે રાજી, એમાં હું રાજી ! મારું ભૌતિક સુખ જોઈને રાચું એવી હું પામર નારી નથી. હું મહાવીરની પત્ની છું સ્વામી !” “ધન્ય યશોદા તને !' 2. ૧. સરીરમાંદુ નાવ રિ, નવો યુધ્ય નાડો | શરીર નાવ છે, જીવ નાવિક છે. – ઉત્તરાધ્યયન बालाणं अकामं तु मरणं असई भवे । पंडियाणं ससामं तु, उक्कोसेण सई भवे ।। બાળ-અજ્ઞાની જીવોનું વારંવાર મરણ થાય છે. પંડિતોનું મરણ એક જ વાર થાય છે. -- ઉત્તરાધ્યયન ૪૪ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy