SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ એ શોધ એ મારા જીવનનો મહાન ઉદ્દેશ ! આ વિચારોમાં વર્ધમાનની નિદ્રા નિદ્રા નથી રહેતી, જાગૃતિ ને વિચારની પળો બની જાય છે ! જગતની જે રાત્રિ, એ વર્ધમાનનો દિવસ બને છે ! વહાલસોયી પત્ની યશોદા ને પુત્રી પ્રિયદર્શના સાથે હરતાં-ફરતાં વર્ધમાન ભર્યા જગતમાંથી જાણે એકાએક ખોવાઈ જાય છે ! થોડી વારે એકદમ સાવધાન બની જાય છે, ને બોલે છે : સંસારના આ ઝંઝાવાતોમાં – ‘ભય અને દ્વેષના દોષોથી જે નિવૃત્ત છે, એ જગતના સાચા મહાવીર છે ! એ પોતાના વહાલસોયા જીવની જેમ અન્યનો જીવ અન્યને પણ વહાલો માને છે ! આમ માની કોઈના પ્રાણનો નાશ કરતા નથી !” પતિની આવી વાતોને યશોદા સાંભળી રહે છે. સમજણ નથી પડતી, પણ પતિના અજંપાને સમજે છે. એ સ્વામીને હેતથી ઘણી વાર સમજાવે છે ! નિદ્રા લેવા વિનવે છે ! પણ એ રામ એના એ ! હૃદયનો રંગ એમ કંઈ છૂટે ! ઘડી પહેલાં પોતાના મુક્ત હાસ્યથી રાજમહેલને કિલ્લોલિત કરનાર વર્ધમાન વળી કોઈ ઊંડી આંતરગુફામાં પ્રવેશી જાય છે ! યશોદા એમને ઢંઢોળે છે. વર્ધમાન સાવધ થતાં કહે છે : “યશોદા ! પાણી હોત તો રોકી લેત, જુવાની રોકી રોકાતી નથી. જરા અને મૃત્યુ એના દ્વાર પર ખડાં છે !' આજે ખીલેલું ફૂલ કાલ સુધી નહિ રહે ! સાંજના તડકાની જેમ, જિંદગી અસ્ત થતી જાય છે ! જીવનને નિત્ય-વહેતું ઝરણ ન માનતી ! પર્વત પરથી સદા પ્રપાત પડતો નથી ! હવાના ઝોકાની જેમ જિંદગી બે દિનની છે. યશોદા ! જે રાત વીતી ગઈ, એ હવે પાછી આવવાની નથી ! વીતી ગયેલી ૧. સર્વે નવા વિ ત્તિ, ગતિ મરિળિયું ! બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈને મોત પસંદ નથી. ૨. સર્વે પ્રવર્તેવા ગ્રો સર્વે ને હિંમયા ! બધા જીવોને દુઃખ અપ્રિય છે, માટે કોઈએ એમને પીડા ન પહોંચાડવી. -- સૂત્રકૃતાંગ. ૪૨ ૪ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy