SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાહ્મણ કહે છે, કે યજન-યાજન, પઠન-પાઠનના અધિકારી અમે, શાસ્ત્ર પર અમારો હક. તમે ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એમાં શું સમજો ? વૈશ્ય વિચારે છે કે અમારે રાજ સાથે કંઈ નહિ, શાસ્ત્ર સાથે લાગેવળગે નહિ; કમાવું ને ધન ભેગું કરવું, એ અમારો ધર્મ ! શૂદ્રની તો કોઈ સ્થિતિ નથી ! સહુની સેવા કરવાનો, નગર બહાર રહેવાનો ને ગંદકીમાં સબડ્યા કરવાનો એનો ધર્મ ! અને આ ધર્મના ભાગ તો જુઓ ! સૌનો નોખો નોખો ધર્મ, પણ માનવનો ધર્મ એ કોઈનો નહિ ! વર્ધમાન વિચારે છે કે આ વાડા બધા ખોટા ! એકને જન્મ માત્રથી ઊંચો ને નીચો ગણવો, એમાં પણ હિંસા છે. માણસ પોતાના કર્મથી નાનો-મોટો લેખાવો જોઈએ. જે સાચો શૂરવીર તે ક્ષત્રિય; પછી ભલે ગમે તે વર્ણનો હોય. જે ભણે-ભણાવે તે બ્રાહ્મણ; પછી ભલે ગમે તે નાતનો હોય. એમ જે વેપાર કરે તે વૈશ્ય જે સેવા કરે તે શૂદ્ર . શૂદ્ર પણ ભણી શકે ને સચ્ચરિત્રી થઈ બ્રાહ્મણ થઈ શકે. ક્ષત્રિય પણ ભણીગણીને બ્રહ્મપદ પામી શકે. પ્રયત્નની બલિહારી છે. પ્રયત્ન કરનારને કશુંય અપ્રાપ્ય નથી. માણસમાત્ર સમાન રહેવા જોઈએ ! સમત્વ એ જ ધર્મ. સ્ત્રીઓની સ્થિતિ પણ એવી. પુરુષની એ દાસી ગણાય. એને સ્વતંત્ર રીતે જીવવાનો કોઈ અધિકાર નહિ. શાસ્ત્ર એનાથી વંચાય નહિ ! પોતાના પગ ૫૨ ઊભા રહેવાય નહિ ! બાળપણમાં બાપ જાળવે, યુવાનીમાં પતિ ને બુઢાપામાં પુત્ર ! એ સંન્યાસ લઈ શકે નહિ ! વર્ધમાનને આ પણ ભારે અન્યાય લાગે છે ! એમનો વિવેકદીપ જગતનાં આવાં અંધારાને જોઈ વળે છે ! વર્ધમાનના દિલમાં લાગ્યા જ કરે છે, કે શક્તિ, બળ, તાકાત ભલે ગમે તેટલાં મોટાં હોય, પણ દયા અને પ્રેમથી વિશેષ મોટાં નથી. સંસારમાં પ્રેમ ને દયાનું સામ્રાજ્ય જમાવું, તો જ જીવતરનો કંઈક અર્થ સરે ! ૩૨ ૫ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy