SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ કહે છે : આવા આત્માના જન્મનો આનંદ પૃથ્વી પર તો ઠીક, દુખિયારા નરકમાં પણ થયો, ને દેવોનો દેશ તો હલમલી ઊઠ્યો, રે મહામાનવનો જન્મ ક્યાંથી ? એક નહિ, પાંચ નહિ, પચીસ નહિ, પણ છપ્પન દિકુમારીઓ જન્મઉછરંગમાં ભાગ લેવા હાજર થઈ ! આઠ અધોલોકમાંથી આવી હતી. એમણે સૂતિકાગૃહ સંભાળ્યું. ઊર્ધ્વલોકમાંથી આઠ આવી: એમણે સુગંધી જળ રેડી પુષ્પો વેર્યા. દક્ષિણ પર્વતની કુમારિકાઓએ કળશ લીધા. પૂર્વથી આવનારી કુમારિકાઓએ દર્પણ લીધાં. પશ્ચિમની કુમારિકાઓએ . વીંઝણા વાયા. ઉત્તરથી આવનારી કુમારિકાઓએ ચામર ઢાળ્યાં! એમ જે આવી એ, બધી જન્મસંસ્કારમાં પડી ગઈ. ત્રણ કદલીગૃહ ને ચાર ચોક રચ્યાં. એકમાં બાળારાજાને સુગંધી તેલથી અભંગ કર્યો. બીજામાં સ્નાન ને શરીર પ્રોછણ કર્યું. એકમાં ગોશીષ ચંદન ચચ્યું. પછી એકમાં સિંહાસન પર મા-પુત્રને બેસાડ્યાં. ને આ કાર્ય માટે આવનારી કુમારિકાઓએ નાટ્ય, ગીત ને નૃત્ય આદર્યા! “સખી ! આજ અનોપમ દિવાળી !” પ્રસંગ એવો છે કે કવિની કલ્પનાને પાંખો આવી છે ! એણે સ્વર્ગને નજર સામે સાકાર કર્યું છે. સ્વર્ગના રાજમાં ઠેઠ ઇંદ્રના દરબારનું સિંહાસન ડોલી ઊઠ્યું. ઇંદ્ર સાબદો ખડો થયો. એણે સુઘોષા ઘંટા વગડાવી તાબડતોબ સવારી ઉપાડી. પૃથ્વીને પાટલે મહાન આત્માએ જન્મ ધર્યો છે. એ ધર્મનાયકના, દેવોને પણ પૂજ્ય એવા એ મહામાનવના આપણે સેવકો છીએ. ચાલો, ચાલો, આપણે પણ આપણા જોગો સત્કાર-વિનય કરીએ ! દેવરાજ ઇંદ્રને શું ? એક હાકલ કરતાં ઇકોતેર હાજર ! વાત વાતમાં મેરુશિખર પર અભિષેક-રચના રચાઈ ગઈ. હવે એ મહામાનવને લઈ આવો! પણ માતાના ખોળામાંથી બાળકને લાવવો કઈ રીતે ? ભલેને દેવોનો દેવ હોય, પણ મા પોતાના નવજાત શિશુને એમ કોઈને ન ધરે ! સભાન અવસ્થામાં, આંખ સામેથી પોતાના બાળને માતા પાસેથી કોણ જન્મ-મહોત્સવ - ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy