SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અરે ! જેના સેવા-સંપર્ક વિના રાજપાઠ બોજારૂપ લાગતાં, એ મંગલમૂર્તિ આમ ચાલી જશે, તો કોને આધારે, કોના ઉત્સાહવચને આ રાજધુરા ખેંચાશે ? આત્માની સ્નેહબંસરી વિના શેં જિવાશે ? : એકત્ર થયેલાં અનેક નર-નારીઓની વતી ઇંદ્રરાજે પ્રભુને પ્રશ્ન કર્યો ‘ભગવાન, આપનાં ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્તોત્તરા નક્ષત્રમાં હતાં ને !' ભગવાને જવાબમાં કેવળ હકારદર્શક માથું હલાવ્યું. ‘એ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ સંક્રાન્ત થાય છે. અનિષ્ટ ભાવિની એ આગાહી કહેવાય ને ?’ ભગવાને પૂર્વવત્ હકાર ભણ્યો. ‘તો પ્રભુ, આપ તો સમર્થ છો, સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન છો. આપની નિર્વાણઘડીને થોડી લંબાવી ન શકાય ?’ ઇંદ્રના મનમાં ઊંડે ઊંડે ઇચ્છા હતી કે એક વાર નિર્વાણઘડીને આગળ ધકેલવામાં આવે તો પછી વળી જોઈ લેવાશે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. ભગવાન મેઘ જેવી વાણીથી બોલ્યા : ‘ઇંદ્રરાજ, મોહ વિવેકને મારે છે, માટે એને અંધ કહ્યો છે. મારા નશ્વર દેહ પ્રત્યેનો તમારો મોહ આજે તમને આ બોલાવી રહ્યો છે. નિકટ રહ્યા છો, જ્ઞાની થયા છો, છતાં ભાખેલું ભૂલી ગયા કે આયુષ્યની એક ક્ષણ પણ સુર, અસુર કે માનવ કોઈ વધારી શકતું નથી. દેહનું કામ–જન્મનું કારણ ને મૃત્યુની ગરજ-સરી ગઈ, હવે આયુષ્યની એક ક્ષણ અને એક ક્ષણનો એક કણ પણ બોજારૂપ છે. શંકના હાથમાં પાત્ર ત્યાં સુધી શોભે જ્યાં સુધી એને પેટપૂર્તિ માટે ઘેરઘે૨થી ભિક્ષાની જરૂર છે. શંક મટીને એ રાજા થાય, પછી પણ એ પાત્ર લઈને ફરે તો ? ઇંદ્રરાજ ! જુઓ, પણે કદી ન કરમાતી અમર વસંત ખીલી રહી છે. સત્, ચિત્ ને આનંદની કદી ન આથમતી ઉષાં ઊગી રહી છે ! સ્વાગત માટે સજ્જ થઈએ !' ઇંદ્રરાજ શરમાઈ ગયા, પગમાં પડ્યા. એકત્રિત મેદનીમાં પ્રભુ વીરના અંતેવાસીઓ પણ હતા. Jain Education International For Private & Personal Use Only ૨૨૬ ૫ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy