SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળ્યું. રાજા પણ રથ જોડાવીને રવાના થયો. કિરાતરાજે આમ આખા નગરને બહાર જતું જોઈ જિનદેવને પૂછયું : “આ બધા ક્યાં જાય છે ? જિનદેવે કહ્યું : “આજ અહીં અદ્ભુત રત્નોના એક મહાવેપારી આવ્યા છે. સંસારનાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રત્નો એમની પાસે છે.” કિરાતરાજે કહ્યું : “ચાલો ત્યારે, આપણે પણ ત્યાં જઈએ, ને એ શાહસોદાગરને નીરખીએ.” બંને જણા સમવસરણમાં પહોંચ્યા. કિરાતરાજ આ અજબ સાંઈને જોઈ આશ્ચર્યમાં પડી ગયો. એ ભગવાન મહાવીરનો આત્મિક વૈભવ જોઈને ખુશ ખુશ થઈ ગયો. આ મહાપારીની વાણી એને હૃદયસ્પર્શી લાગી. એ ઊભો થઈને પાસે ગયો ને બોલ્યો : “મલેચ્છ દેશનો રાજા કિરાતરાજ છે. અપૂર્વ રત્નો જોવા માટે અહીં આવ્યો છું. હે શાહ સોદાગર, તમારી પાસેનાં રત્નોનું બયાન કરો.” ભગવાન હસીને બોલ્યા : “મહાનુભાવ, રત્નો બે પ્રકારનાં હોય છે. એક ભાવરત્ન ને બીજાં દ્રવ્યરત્ન !' ભાવરત્ન-દ્રવ્યરત્ન !' કિરાતરાજ નામ ગોખી રહ્યો. “ ભગવાન આગળ બોલ્યા : દ્રવ્યરત્ન અનેક પ્રકારનાં હોય છે. એ કીમતી હોય છે. ચળકાટવાળાં હોય છે, લોભામણાં હોય છે, છતાં ટકાઉ હોતાં નથી. ચોરનો, રાજાનો, પાડોશીનો એને ડર હોય છે. બહુ બહુ તો એ આ જીવનમાં કોઈક લાભ કરનાર હોય છે, પણ સર્વથી શ્રેષ્ઠ તો ભાવરત્ન લેખાય. ત્રણ પ્રકારનાં એ હોય છે. એક દર્શનરત્ન, બીજું જ્ઞાનરત્ન, ત્રીજું ચારિત્રરત્ન, આ ત્રણ રત્નો જેની પાસે હોય, એને કોઈ વાતનું દુઃખ રહેતું નથી. એ પરમ સુખી થાય છે. દુનિયાના રાજા એનાં ચરણ ચૂમે છે. એના બંને ર ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy