SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમ બોલ્યા : “જેવા જુગ એવા જોગી. બધો આધાર લોક પર છે. ધર્મ એમના કલ્યાણ માટે સ્થાપવામાં આવે છે. એનું કારણ વિગતે કહું છું. પ્રથમ તીર્થંકર ઋષભદેવના જમાનામાં લોકો સરળ છતાં જડ હતા. આચારમાર્ગની શુદ્ધિ માટે એ વખતે પાંચ યામની પ્રરૂપણા કરી. “એ પછી ૨૨ તીર્થકરોના જમાનામાં લોકો સરળ ને ચતુર હતા. થોડું કહીએ, તેમાં ઝાઝું સમજતા. કહેનારના કથનના શબ્દને ન પકડતા, અંદરના ભાવાર્થને ગ્રહણ કરતા. એ માટે ચાર યામનો ધર્મ એમના વખતમાં રહ્યો પણ અત્યારના જીવો વક્ર અને જડ છે. આપણા બોલવામાં બારી શોધી કાઢે એવા છે. થોડું બોલ્યું ઝાઝું સમજનાર નથી. બલકે બોલવાનો બેવડો અર્થ કાઢે તેવા છે. આજે આચારશુદ્ધિ કઠિન છે : માટે અહિંસા, સત્ય, અસ્તેય ને અપરિગ્રહઆ ચારમાં બ્રહ્મચર્યનો પાંચમો યામ વધાર્યો. સ્ત્રી આજ સુધી પરિગ્રહમાં હતી. સોનું-રૂપું, ઘર-બાર, ઢોર ને પશુઓની જેમ તેની પણ મિલકતમાં ગણતરી હતી. આથી સ્ત્રી જેવી સ્ત્રીની સ્થિતિ ઢોર જેવી હતી. પુરુષ એના પ્રત્યે વિવેક ન રાખતો. આ નવીન બ્રહ્મચર્ય પામથી સ્ત્રીનું સ્થાન સ્વતંત્ર થાય છે.” કેશી ગણધરને આ સાંભળી આનંદ સાથે સંતોષ થયો. એમણે પોતાની એક બીજી શંકા જાહેર કરતાં કહ્યું : “ભગવાન પાર્શ્વનાથે સવસ્ત્ર ધર્મનો ઉપદેશ આપ્યો છે. ભગવાન મહાવીર અચેલક ધર્મનો ઉપદેશ આપે છે. એક જ માર્ગના બે રાહબરોનાં વચનોમાં આટલો ભેદ કેમ ?' ગૌતમ બોલ્યા : “આપ જેવા પવિત્ર મુનિઓને ખબર જ છે, કે ધર્મની સાધના આત્મા સાથે સંબંધ રાખે છે, વેશ સાથે નહિ. ખરી રીતે જ્ઞાન, દર્શન ને ચરિત્ર જ મુક્તિ મેળવવાનાં સાધન છે. વેશ તો ઓળખાણ ને સંયમના નિર્વાહમાં સાધન રૂપ છે.' શ્રી ગૌતમના જવાબથી પાર્શ્વનાથ મતના મુનિઓના મનનું સમાધાન થઈ ગયું. તેઓએ પાંચ યામવાળા ભગવાન મહાવીરના ધર્મનો સ્વીકાર કર્યો. ચાર ધામ ને પાંચ થામ ૨૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy