SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સુકાયેલો દેહ અમારાથી જોઈ શકાતો નથી. શું આ રોગને હટાવવાનો કોઈ ઉપાય નથી ?' ભગવાન બોલ્યા : “સિંહ ! ઉપાય જરૂર છે. તારી મરજી છે, તો જા, મૅઢિય ગામના ગાથાપતિની પત્ની રેવતીને ત્યાં જા. એણે બે ઔષધ તૈયાર કર્યા છે. એક મારા માટે ને એક બીજું સામાન્ય કારણ માટે તૈયાર કર્યું છે. એમાં મારા માટે તૈયાર કરેલું ઔષધ ન લાવતો, બીજા માટે તૈયાર કરેલું ઔષધ લઈ આવ.' સિંહ અનગાર એકદમ રેવતીના ઘેર જઈ પહોંચ્યા. દ્વાર પર મુનિને આવેલા જોઈ, રેવતીએ બહુમાન કર્યું ને પૂછ્યું : કહો, કેમ પધાર્યા છો ?” ‘તમે બે ઔષધ તૈયાર કર્યા છે ને ?' હા.' સાધુને જવાબ આપતી રેવતીને, સાધુના આ જ્ઞાન માટે આશ્ચર્ય થયું. એમાં એક ભગવાન મહાવીર માટે છે, કેમ ?” “હા.' બીજું સામાન્ય કારણ માટે છે ?' “હા.' તમને ક્યાંથી ખબર પડી કે મેં બે ઔષધિ બનાવી છે !” ભગવાન મહાવીરે કહ્યું.' “તો બીજું ઔષધ મને આપો.' શા માટે ?' ભગવાન મહાવીર માટે. એમને પિત્તદોષ થયો છે.' ‘ભગવાન માટે તો મેં ખાસ આગવું ઔષધ તૈયાર કર્યું છે તે લઈ જાઓ.’ ના, ભગવાને ના પાડી છે.” રેવતી આ સાંભળી બહુ રાજી થઈ. ઘરમાં જઈને ઔષધ લઈ આવી એણે સિંહ અનગારને આપ્યો. ૨૧૨ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy