SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૪પ વીરધર્મની પિછાન એક વાર ભગવાન પોલાસપુરમાં પધાર્યા. આ ગામમાં સદાલપુત્ર નામનો એક તત્ત્વનો વેત્તા, વાદપરાયણ કુંભાર રહેતો હતો. એ ગોશાલકના આજીવક મતનો ઉપાશક હતો. એ કહેતો કે માત્ર આજીવક મત જ પરમાર્થ છે, બાકી બીજા મત અનર્થ છે. ' સદ્દાલપુત્ર પાસે દશ હજાર ગાયોનો એક વ્રજ, એક કોટી હિરણ્ય વિધાનમાં, એક વાપરમાં ને એક વ્યાજમાં હતી. પાંચસો એનાં હાટ હતાં. એક વાર એ અશોકવાટિકામાં હતો, ત્યાં કોઈએ ખબર આપ્યા કે સર્વજ્ઞ પધાર્યા છે. સદાલપુત્ર સમજ્યો કે પોતાના મહાગુરુ ગોશાલક પધાર્યા હશે, એ દોડ્યો, પણ જઈને જોયું તો શ્રમણ ભગવાન મહાવીર ! એ ત્યાં બેઠો, અને ભગવાનનો ઉપદેશ સાંભળ્યો. ઉપદેશ સાંભળતાં એને શ્રદ્ધા થઈ. એણે પાસે જઈને ભગવાન મહાવીરને પોતાને ઘેર પધારવાનું આમંત્રણ આપ્યું. ભગવાન મહાવીર બીજે દિવસે તેના ઘેર ગયા. સદાલપુત્ર એ વખતે પોતાના નકશીદાર ઘડાઓને કાળજીપૂર્વક તડકે મૂકતો હતો. એ વિનયી હતો. એણે ભગવાનને જોતાં જ તેમનું સ્વાગત કર્યું. ભગવાને ત્યાં સ્થિર થતાં સ્વાભાવિક જ પ્રશ્ન કર્યો : સદાલપુત્ર ! આ ઘડા કેવી રીતે બન્યા ?” ૧૬ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy