SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ જયન્તીના પ્રો ભગવાન મહાવીર પંદરમું ચોમાસું વૈશાલીમાં વિતાવી વત્સભૂમિ તરફ ચાલ્યા. ધીરે ધીરે તેઓ કૌશાંબી આવી પહોંચ્યા. આપણે એ જાણીએ છીએ કે કેવળજ્ઞાની થયા પહેલાં તેઓ અત્રે આવ્યા હતા, ને અભિગ્રહ ધારણ કરી દાસી ચંદનબાળાને હાથે ભિક્ષા સ્વીકારી તેને ઉદ્ધારી હતી. ને યુદ્ધો કેવાં ભયાનક હોય છે – પોતાને અને પોતાનાંને હણનારાં હોય છે – એ એમણે મૂક વાણી દ્વારા સમજાવ્યું હતું. ચંપાનો જીતનાર કૌશાંબીપતિ રાજા શતાનિક થોડા વખત પહેલાં ગુજરી ગયો હતો. એનો પુત્ર ઉદયન વત્સરાજ હજી બાળક હતો. એની માતા રાણી મૃગાવતી રાજ ચલાવતી હતી. રાજા શતાનિકને એક ધર્મિષ્ઠ ને જ્ઞાની બહેન હતી. એનું નામ જયન્તી. જયન્તી શ્રમણોપાસિકા હતી. ને તેના સમાનધર્મી તરફના આદરભાવને કારણે, અનેક શ્રમણો ને શ્રમણોપાસકો એને ત્યાં ઊતરતાં. ભગવાન મહાવીર કૌશાંબીમાં ચંદ્રાવતરણ ચૈત્યમાં ઊતર્યા. આ ખબર મળતાં આખું નગર ઉપદેશ સાંભળવા આવ્યું. ભગવાને પણ આ લોક ને પરલોક માટે કલ્યાણકારી ઉપદેશ આપ્યો. ઉપદેશ પૂરો થતાં સહુ સહુને સ્થાને વિદાય થયા. આ વખતે રાજકુમારી જયન્તી પોતાના પરિવાર સાથે ત્યાં જ બેસી રહી. પછી યોગ્ય સમય જોઈને, એણે ભગવાનને થોડા પ્રશ્નો કર્યા. ભગવાને પોતાની જયન્તીના પ્રશ્નો % ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy