SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પછી તેનું મન કેરીમાં રમવા માંડ્યું! કેટકેટલાં ખાવાનાં! કેટકેટલા પીવાનાં ! પણ ન જાણે રાજાને કેરી વગર ચેન ન પડે ! વસ્તુ તો સાવ નાનીશી, પણ રાજાને એણે ઘાંઘો બનાવી દીધો. આખરે રાજા રહી ન શક્યો. એણે એક દિવસ કેરી ખાધી. ફરી એને રોગ થયો. દવાથી એ સાજો ન થયો. કેરી જેવી તુચ્છ વસ્તુ ખાતર જીવ અને રાજ બંને ખોયાં. ભગવાન મહાવીરે પોતાના કથનને વધારે સરળ કરવા કહ્યું : ત્રણ વેપારી છે. સરખી મૂડી લઈને વેપારે નીકળ્યા છે. દેશદેશાંતર ઘૂમીને ઘણે દિવસે સહુ પાછા ફર્યા. પહેલો વેપારી મૂળ મૂડી બમણી કરીને પાછો આવ્યો હતો. બીજો વેપારી ભાવની મંદીમાં ફસાયો, છતાં મૂળ મૂડી સાચવીને પાછો વળી નીકળ્યો. ત્રીજો વેપારી તો નુકસાનીમાં ડૂબી ગયો હતો; લાભની વાત તો દૂર રહી, મૂળગી રકમ જ ખોઈને આવ્યો હતો. સંસારમાં તમામ જીવો આ ત્રણ પ્રકારના વેપારી જેવા છે. પહેલા પ્રકારના જીવો મનુષ્યત્વરૂપી મૂળ મૂડીને જાળવે છે, તે ઉપરાંત પૂજ્યતાને પામે છે. મનુષ્યજીવનમાં સદાચાર, શીલ ને વ્રત પાળી દેવ બને છે. બીજા પ્રકારના જીવો દેવ નથી બનતા, પણ મનુષ્યત્વ જાળવી રાખે છે, સાદા આચારો એ પાળે છે. ત્રીજા પ્રકારના જીવો તો મનુષ્યત્વ પણ ખોઈ નાખે છે. ને અનાચારી ને દુરાચારી બની નરકના ભાગી બને છે. આ ઉપદેશોએ – આવી સાદી વાતોએ અનેક હૃદયો પર અસર કરીને કંઈક માનવીઓ ભગવાન મહાવીરે ઉપદેશેલા ધર્મના પાલક બન્યા. સાદી વાત, સાદો વિવેક & ૧૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy