SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 39 નિર્ગથ સાધુ ભગવાને પોતાના શાસનસંઘનાં અનુયાયી શ્રમણ-શ્રમણી વિશે કહ્યું : મારા શાસનનો નિગ્રંથ સાધુ મુક્ત મનનો, ઉદાર વિચારનો ને અહિંસાના વ્રતવાળો હશે. સંસારની, મનની, સંબંધની, મોટાઈની કોઈ ગ્રંથિ-ગાંઠ એને પડશે નહિ. એ સાચા અર્થમાં નિગ્રંથ હશે. એ સતત જાગ્રત હશે, સૂતાં, ઊઠતાં, બેસતાં ક્ષણનો પણ પ્રમાદ નહિ કરે. એને ઘર નહિ હોય એ અનગાર હશે. એ ભિક્ષુ હશે. ભિક્ષા એનું ભોજન હશે. પોતાના માટે બનેલું ભોજન એ નહિ લે. રાતે ભોજન નહિ લે. ફૂલ પરથી ભમરો રસ ચૂસે ઠેર ઠેર ગોચરોમાંથી ગાય કોળિયા ભરે એમ એ ભિક્ષા લેશે. એ ગોચરી કહેવાશે. એ વસ્ત્રની અપેક્ષાથી દૂર હશે. સાથે એ કાચબાની જેમ અંગો છુપાવીને ચાલશે. આમ સંસારમાં અન્ન, વસ્ત્ર ને આશ્રય માટે માણસ અનેક જણાની લાચારી કરે છે. એ લાચારીમાંથી નિગ્રંથ સાધુ મુક્ત હશે. નિગ્રંથ સાધુ સ્ત્રી-પરિચયથી દૂર, નિગ્રંથ સાધ્વી પુરુષ-પરિચયથી દૂર ને દ્રવ્યથી સાવ વિમુખ રહેશે. પરસ્પરનો સ્પર્શ પણ એમને વર્ય હશે. પગપાળા સદા એનો પ્રવાસ હશે. વાહન-હીન હોવાથી એ રથ, ગાડું કે અશ્વની અપેક્ષા નહિ રાખે. ૧૭૨ ૮ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy