SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જનારો માનતા, તેમને મહાયોગીએ બતાવી દીધું, કે કાયા તો જેટલી કસશો, તેટલી કસશો. દેહ તો સાધન છે. સાધનનો સાચો ઉપયોગ કરતાં શીખો ! સાધનને સાધ્ય ન માનો ! આત્મયોગી મહાવીરનો સંસારત્યાગ પછીનો સાડા બાર વર્ષનો ગાળો સાંભળનારને રુવાંટાં ખડાં કરે તેવો હતો. અવિશ્વાસુને તો શંકા પેદા કરે તેવો કઠોર હતો. આંખે જોનાર પણ આશંકામાં પડી જાય તેવું હતું ! અરે માણસ જેવો માણસ ને આટલો પુરુષાર્થી ! આટલી સહનશીલતા, આટલી નિર્ભયતા ! અશક્ય ! ન ક્યાંય દીઠી છે, ન કદી સાંભળી છે ! આજ એ સાધનાની સિદ્ધિ-ક્ષણ આવી પહોંચી હતી. ભરદરિયે ઘૂમતું જહાજ કિનારો ભાળતું હતું. એકાએક વાયુમંડળમાં પરિવર્તન આવ્યું. ગ્રીષ્મના વાયરા વસંતના થઈ ગયા. કોકિલ બોલવા લાગ્યો. હરણાં ભૂમિ પર ઊછળી ઊછળીને ગેલ કરવા લાગ્યાં. નજીક આવીને ઊભેલા વ્યાઘનો ભય પણ વીસરી ગયાં ! અરે ! નિર્ભય આ સૃષ્ટિમાં ભય કેવો ? એક જીવ બીજા જીવનો મિત્ર છે ! હિંસક વાઘના દિલ પર પણ જાણે પ્રેમની વર્ષા થઈ. એ પૂંછડાનો ઝંડો ઉઠાવી, બહાર નીકળ્યો. એણે હરણાં જોયાં, ને વહાલભરી આંખડી એમના પર ઠેરવી ! રે, સુખથી ચણજો, ને મનગમતાં ગીતડાં ગાજો ! મુજથી ડરવા જેવું કંઈ નથી ! જીવો અને જીવવા દો. ઘાસનાં જાળાંમાંથી નકુલ ને સર્પ બહાર નીકળી આવ્યા, પણ આશ્ચર્ય તો જુઓ ! બંને વચ્ચેનું પેઢીઉતાર વેર નીતરી ગયું, ને વહાલમાં એકબીજાને કોટી કરી રહ્યા ! સૃષ્ટિમાં આટલું પરિવર્તન ક્યાંથી ? પૃથ્વીમાં આનંદ વર્તે છે; પાણીમાં પરમાનંદ લહેરાય છે; આકાશમાં હર્ષકિરણો ફેલાય છે. નક્કી કોઈ જગપાવન પ્રસંગ બનવાનો ! હવા વાજિંત્રો જેવી બની ગઈ છે. આકાશ જાણે દેવવિમાનોના પ્રકાશથી ઝળાંહળાં થઈ ગયું છે. દિશાઓ દર્પણ જેવી બની છે. સંતાપ-સ્વભાવી જગતમાં ૧૫ર » ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy