SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આજથી પચીસસો વર્ષ પૂર્વે નિગ્રંથ ભગવાન મહાવીર એ કાળે થયા, જે કાળે લોકગુરુ ભગવાન બુદ્ધ થયા, જે કાળે ગ્રીસમાં સત્યનિષ્ઠ સોક્રેટિસ થયા, જે કાળે ઈરાનમાં અષો જરથુષ્ટ્ર થયા, જે કાળે ચીનમાં મહાન કોન્ફયૂશિયસ થયા . એ કાળ ઈ.સ. પૂર્વે ૬૦૦ આસપાસનો હતો. યુગોના યુગો પહેલાં પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ થયા. જેમના નામ પરથી ભારતદેશ કહેવાયો એ ચક્રવર્તી ભરતદેવના એ પિતા હતા. એ પછી બીજા તેવીસ તીર્થંકરો થયા. એમાંના મુનિ સુવ્રતસ્વામીના સમયમાં રામ થયા. પાંડવ, કૌ૨વ તથા શ્રીકૃષ્ણ બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથના વખતમાં થયા. પ્રવેશ શ્રી નેમિનાથે અહિંસાની ધારાને વેગ આપ્યો, ભોજનમાં હણાતાં પશુઓને બચાવવા, રાજ-પાટ ત્યાગી સંન્યાસ સ્વીકાર્યો. જીવન-વિશુદ્ધિમાં અહિંસાને સ્થાન આપ્યું, જીવન-વિશુદ્ધિમાં આહાર શુદ્ધિને શ્રેષ્ઠ ગણી. શ્રી નેમિનાથનો ઉલ્લેખ યજુર્વેદમાં શ્રી અરિષ્ટનેમિ તરીકે મળે છે. શ્રી નેમિનાથ ભગવાન પછી શ્રી પાર્શ્વનાથ ભગવાન આવ્યા. અહિંસાની વિચારધારા મહાભારતના ભયંકર યુદ્ધ પછી વિકસી હતી. લોહીતરસ્યાં યુદ્ધથી સહુ થાક્યાં હતાં. મહાભારતની નારદ-પર્વતની કથાનો Jain Education International १५ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy