SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્યા ને કહેવા લાગ્યા : ‘અરે મામા ! તમે ક્યાંથી ?' ને મામાને ભાણેજોએ રેતીમાં ઘસડ્યા. અંધેરી નગરી ને ગંડુ રાજા જેવા આ રાજમાં, શૂળી ચડાવવાનો ઘાટ પણ રચાઈ ગયો, પણ બધેથી આત્મવીર મહાવીરે અંતે વિજય મેળવ્યો. દિવસોથી મહાવી૨ ઉપવાસી હતા. ગામમાં કે નગ૨માં કોઈ વાર ભિક્ષા માટે જાય, એટલે સારી વસ્તુ લોકો છુપાવી દે. ખરાબ વસ્તુ સામે ધરે. મહાવીર એ કેમ સ્વીકારે ? આમ ભિક્ષાન્ત વગર છ છ મહિના ચાલ્યા ગયા, પણ હાર સ્વીકારવાનું મહાવી૨ કયે દિવસે સમજ્યા હતા ? આ દુ:ખો તો એમને મન પોતાના આત્માની અગ્નિપરીક્ષા હતી. અને એમાં કાંચન શુદ્ધ નીકળ્યું હતું. એક દિવસ એક જણ આવ્યો. એ ગળગળા અવાજે બોલ્યો : ‘હું સંગમ. આપને સતાવનાર. ક્ષમા ચાહું છું. ખરેખર, તમે જેવા દેવરાજ ઇંદ્રે કહ્યું તેવા જ અડગ ધ્યાની ને તપસ્વી છો.' આ સાંભળી છ છ માસથી હેરાન-પરેશાન થતા મહાયોગી મહાવીરના મુખ પરની એક રેખા પણ ન બદલાઈ. એમણે કહ્યું : ‘સંગમ દેવ ! અમે કોઈને અધીન નથી. મારી ચિંતા ન કરતો. તું તારે રસ્તે સુખેથી જા !' બીજે દિવસે મહાવીર ભિક્ષાન્ન માટે નીકળ્યા. ગોકુળ ગામમાં વત્સપાલિકા નામની વૃદ્ધ ગોપીએ પ્રભુને છ માસનું પારણું કરાવ્યું. સ્વર્ગ ને પૃથ્વીના પરમાણુઓ આનંદથી પ્રમુદિત થઈ ગયાં ! Jain Education International For Private & Personal Use Only ૧૩૬ ૫ ભગવાન મહાવીર www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy