SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને માનવપરાગની સુગંધથી વ્યાપ્ત કરી છે, સાથે સાથે વિરાટ સ્વર્ગને પણ વ્યાકુળ કર્યું છે. સ્વર્ગનો રાજાધિરાજ ઇંદ્ર હંમેશની જેમ માનવગાથાઓ ગાવાનો ને માનવયશ વંદવાનો રસિયો છે. એણે મહાયોગી મહાવીરની પ્રશસ્તિ ગાવા દેવોની સભા ભરી અને ખુલ્લું મુખે કહ્યું : “દેવોને પણ નમવા યોગ્ય એક નરરત્ન અત્યારે પૃથ્વીને પાટલે વિચરે છે. હું એ મહાનરરત્ન મહાપ્રભુ મહાવીરને નમું છું, વંદું છું, સ્તવું છું. એ મહાયોગી, મહાધ્યાનીને પોતાના ધ્યાનમાંથી, પોતાના નિર્ધારમાંથી ચળાવવા માટે મનુષ્ય, પશુ, પ્રાણી, ઉરગ, રાક્ષસ, યક્ષ, અસુર કે ખુદ દેવતાઓ કે દેવતાઓનો રાજા પણ સમર્થ નથી !' આખી દેવસભા આ પ્રશસ્તિ સાંભળી રહી. ને સ્વર્ગમાં બેઠી બેઠી પૃથ્વીના પટ પર ફરતા એ મહામાનવને વંદી રહી. આ વખતે દેવોની અસ્મિતાનો આગ્રહી, સંગમ નામનો દેવ કોપી ઊઠ્યો, ધૂંઆપૂંઆ થતો દેવસભામાં ઊભો થઈ ગયો ને ગર્યો. - “હે દેવસભાનાં રત્નો ! મહારાજ ઇંદ્રની વાત સાંભળી મને આશ્ચર્ય થાય છે. ક્યાં પૃથ્વીલોકનો જરા-મરણથી ઘેરાયેલો ને સુધાપિપાસાવાળો ક્ષુદ્ર માનવી ને ક્યાં અજર-અમર, સંકલ્પસિદ્ધિવાળો દેવગણ ! અરે, જે ધારે તો લીલામાત્રમાં મેરુપર્વતને માટીના ઢેફાની જેમ અત્ર તત્ર ફગાવી શકે, જે ધારે તો ઘીમાં રોટલી બોળે તેમ પૃથ્વીને સાગરમાં ઝબકોળી શકે, જે ધારે તો પાતાળઊંડા સાગરને પણ ક્ષણમાત્રમાં આચમન કરી જઈ શકે, જે આંગળીના ઇશારામાત્રથી ભૂકંપ, વાવંટોળ, ઉલ્કા કે ગમે તેવાં તોફાન જગાવી શકે. એ મહામહિમાવાળા દેવગણ પાસે એક માનવીની આવી વડાઈ ? ઇંદ્રરાજે રાઈનો પહાડ કર્યો; એ મોટાની મોટાઈ છે. હવે હું એ પહાડની રાઈ કરીને દેવોને બતાવીશ. એ રીતે દેવલોકની અસ્મિતા જાળવીશ.” એ વખતે જ સ્વર્ગ અને પૃથ્વીને ભેદતા ભયંકર ધડાકા થયા. એ સાથે સંગમ દેવ પૃથ્વી ભણી રવાના થયો. મહાયોગી મહાવીર આ વખતે મલેચ્છ ભૂમિમાં વિહરતા હતા. દઢભૂમિ ૧૩૦ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy