SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કે પોતે પણ એ જ દશાને પ્રાપ્ત થઈ રહ્યો છે. ત્યાં સળગતા ગ્રીષ્મમાં એકાએક કોઈ ભી વાદળી વરસે, એમ ગોશાલક પળવારમાં શીતળતાનો અનુભવ કરી રહ્યો. એણે સ્વસ્થતા મેળવી, તો એક અજબ દશ્ય જોયું. તાપસના નેત્રમાંથી નીકળતાં અગ્નિ કિરણો સામે શ્રમણ મહાવીરના નેત્રોમાંથી જળધારાઓ ફૂટી રહી હતી. ગમે તેવી આપત્તિમાં પણ પ્રતિકારમાં ન માનનાર ગુરુદેવ, આજે શિષ્યની પ્રાણરક્ષા માટે પ્રતિકાર રચી રહ્યા. તાપસનો ગર્વ ગળી ગયો. મૃત્યુમાંથી ઊગરી ગયેલો ગોશાલક ગુરુચરણમાં પડ્યો ને ગદ્ગદ કંઠે બોલ્યો : ‘પ્રભુ ! આ શું હતું ?’ ‘તેજોલેશ્યા.’ ‘આપે સામે કઈ શક્તિ મૂકી ?' ‘શીતલેશ્યા.’ ‘ગુરુદેવ, જે શક્તિ સામાન્ય તાપસને લભ્ય, તે મને શા કાજે અલભ્ય ? મારી સાધનામાં કંઈ ત્રૂટિ ?’ ‘વત્સ, શક્તિ કરતાં સત્ત્વ તરફ જા ! એ જ કલ્યાણકારી છે. આ શક્તિ છે, ચમત્કાર છે; તારા જેવા સાધકને તો એ સાવ સુલભ છે; પણ ચમત્કારમાં સિદ્ધિ નથી. કોઈ વાર મન પરનો કાબૂ શિથિલ થતાં એ આત્માનું ને પરનું બંનેનું અકલ્યાણ કરે છે.' ‘ગુરુદેવ ! મારે તેજોલેશ્યા સાધવી છે. મને સાધના બતાવો !' જાણે ગોશાલકના હૈયામાં બેઠેલી બાળહઠ બોલી. ગોશાલકે આમ આગ્રહ કરીને મહાવીર પાસેથી તેજોલેશ્યાની સાધનાવિધિ જાણી લીધી. એ સાધના માટે સમયની જરૂર હતી. ગુરુ આવી પ્રવૃત્તિ માટે થોભે તેમ નહોતા. આથી ગોશાલક ગુરુથી ફરી જુદો પડ્યો. શ્રાવસ્તી નગરીમાં રોકાઈ ગયો. મહાગુરુ મહાવીર સામે તો આત્મસાધનાનો લાંબો રાહ પડ્યો હતો. શિષ્યને ત્યાં છોડી તેઓ આગળ વધ્યા. વિદાય વેળાએ એટલું કહ્યું : ‘વત્સ ! આત્મવિલોપન વગર આત્મવિજય અશક્ય છે, એ ભૂલીશ મા ! દુનિયામાં જાત ૧૨૬ ૭ ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy