SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ એણે મુહૂર્તમાં આ મુંડને જોયા, અપશુકન માન્યા. એ તો હથોડો ઉપાડી મારવા દોડ્યો, પણ ન જાણે – મહાવીરની મુખમુદ્રા જોતાં – એના હાથપગ ન હાલ્યા ! એકાકી મહાવીર અહીંથી ગ્રામાક સન્નિવેશમાં આવ્યા. અહીંના ઉદ્યાનમાં બિભેલક નામનો યક્ષ રહેતો હતો. એણે ખૂબ સેવા કરી. ત્યાંથી તેઓ શાલિશીર્ષ નામના ગામે આવ્યા. અહીંના ઉદ્યાનમાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં રહ્યા. કટપૂતના નામની વ્યંતરી અહીં રહેતી હતી. સારા માણસોની એ અકારણ શત્રુ હતી. એણે મહાવીરને જોયા કે ક્રોધથી એ લાલપીળી થઈ ગઈ. એક તો શિયાળાના હિમભર્યા દિવસો હતા, એમાં એ ઠંડા શીતળ પાણીનો વરસાદ વરસાવવા લાગી, ને ઉપરથી વીંઝણા ઢોળી હવા કરવા લાગી. પણ મહાવીર તો મેરુધીર હતા. સમભાવે એ કષ્ટ સહન કરતાં કરતાં એમના અંતરમાં લોકાવધિ જ્ઞાન ઝળહળી ઊઠ્યું. કટપૂતના હારી. મહાવીર તો સાધનામાં મસ્ત હતા. આ વખતે છ મહિનાથી છૂટો પડેલો ગોશાલક ફરી વળી ગુરુસેવામાં આવીને હાજર થયો. ગુરુ વગર એને ગમતું નહોતું. ગુરુ-શિષ્ય છઠું ચોમાસુ ભદિયા નગરીમાં ને સાતમું આલંબિયા નગરીમાં વિતાવ્યું. અહીંથી આગળ વધતાં બંને લોહાર્ગલ રાજધાનીમાં આવી પહોંચ્યા. અહીં યુદ્ધની આશંકા હતી. એટલે જતા-આવતા પર કડક નજર રાખવામાં આવતી. મહાવીર ને ગોશાલકને ત્યાંથી પસાર થતાં પકડવામાં આવ્યા. તેઓ કોણ છે, તેની પૃચ્છા કરી. સારી ચાલચલગતના સાક્ષી માગ્યા. અહીં તો બોલવાની જ બાધા હતી, પછી સાક્ષીની વાત કેવી ? રાજપુરુષોએ તેમને માર્યા, તોય ન બોલ્યા. “ચલો રાજાજી પાસે. જોઉં છું પછી તમારી બોબડી કેમ બંધ રહે છે ?' રાજસેવકો એમને મારતાં મારતાં રાજસભામાં લઈ આવ્યા. રાજા બધી વાત સાંભળે, ત્યાં તો સભામાં બેઠેલા અસ્થિક ગ્રામનો ઉત્પલ શાસ્ત્રી બોલી ઊઠ્યો : “અરે ! આ તો રાય સિદ્ધાર્થના પુત્ર, જ્ઞાતનંદન મહાવીર છે. ઇંદ્રને ખબર પડશે, તો તમારો દમ કાઢી નાખશે. આ તો આત્મયોગી મહાવીર છે !” અનાર્ય દેશમાં જ ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy