SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો તરફ તિરસ્કાર હતો તેના તરફ એમણે પ્રેમ વરસાવવો શરૂ કર્યો. રાજા, રાજ સંન્યાસી બની જીવનની નવી મીઠાશ માણી રહ્યા. ઘડીભરના સત્સંગે એમને નવા માનવી બનાવી દીધા. માતા સૂર્યકાંતાનો જાજરમાન દેહ આ પ્રવૃત્તિઓથી ક્રોધે ધમધમી રહ્યો. આખરે રૂઠેલાં રાણીએ મને બોલાવ્યો, પૂછ્યું, “વત્સ, બોલ ભિખારી થવું છે કે રાજા ?” રાજા !” તો તારા પિતાને તારા માર્ગમાંથી દૂર કર. આજ હું પત્ની મટી ગઈ છું. માતાપદના બળથી કહું છું. રાજસંપત્તિ લૂંટાઈ રહી છે, સૈન્ય ઓછું થઈ રહ્યું છે, બ્રાહ્મણ ને શ્રમણો વધી રહ્યા છે. આ વિનાશને તું અટકાવ.” “એ માટે હું શું કરું, મા ?' ‘લે આ વિષનો પ્યાલું ! ભાવના કરતાં કર્તવ્ય મહાન છે. આપી દે તારા પિતાને એને મને તો એ મા અમર છે, દેહ વિનશ્વર છે. તો પછી વિનશ્વર ભલે વિનાશ પામતું.' હું માતાના માર તલ - પદ ચભાવને વંદી રહ્યો. પુત્રના કલ્યાણ માટે માતા કેટલો બધો ભોગ બની હતી પણ હું ભારે વિમાસણમાં પડ્યો, આખરે કોઈ નિર્ણય ન કરી શકવાથી ત્યાંથી મૂંગો મૂંગો ચાલી નીકળ્યો. નિર્બળ હતો, પણ નાતા પબળ હતાં. એમણે એક દિવસ ભંડારમાંથી કાતિલ વિષ કઢાવ્યું; ઘોળીને મારા પિતાજીને માટે તૈયાર કર્યું. એમને પહેરવાની માળામાં પણ ઝેર રેડ્યું. વસ્ત્ર ધા વિષમિશ્રિત તૈયાર થયાં. બેવડે દોરે બધી તૈયારી થઈ ! પિતાએ વસ્ત્ર પહેર્યો, એ વેદના ઝગી, ફૂલમાળા ધારણ કરી, ને કંઠમાં શોષ પડ્યા. સામે અન્ન : હું સમજી ગયા. એમની શ્રદ્ધાની આ આકરી કસોટી હતી. તેઓએ હસતાં હસતાં કહાં ‘પાણીને મારા પ્રણામ કહેજો. આત્મા ને દેહ જુદા છે, એ મારી માન્યતાને ઠીક કસોટીએ ચઢાવી ! વિદાય !” પિતા વિષપાન કરી ગયા ત્યુ પણ ભવ્ય રીતે માણ્યું. મરતાં સુધી ચાર ધામ , ૧૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy