SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહમાં માનતો થયો, પણ એના રાજાનું શું ? એણે મુનિરાજને કહ્યું : મારું તો ઠીક, પણ મારા રાજાને ઉપદેશ આપો તો ભારે લાભ થાય. સત્સંગનું ફળ મને મળ્યું, એવું મારા રાજાને આપો. રાજા સુધરે તો લાખો લોકો સુધરે. માટે આપ ધર્મનો લાભ સમજીને પણ એ તરફ પધારો.' કેશી મુનિને ચિત્તની વાત યોગ્ય લાગી. થોડે વખતે ફરતાં ફરતાં તેઓ શ્વેતાંબી નગરીની બહાર આવેલા બગીચામાં ઊતર્યા, પણ હવે ચિત્ત માટે કસોટી આવી. રાજા તો આવા મુનિઓ પાસે જાય જ નહિ. એને કઈ રીતે સમજાવીને લઈ જવો ? ચિત્તે એક તરકીબ રચી. એક દિવસ રાજાને કહ્યું કે “કંબોજથી ચાર સારા ઘોડા આવ્યા છે. પધારો તો પરીક્ષા કરી આવીએ !” રાજા આ વાતનો તો શોખીન હતો. બંને જણા રથ પર ચઢ્યા. ચિત્તે ઘોડા એવા હાંક્યા કે ઘણે દૂર નીકળી ગયા. વખત ઘણો વીતી ગયો, ને રાજા થાકી ગયો. છેવટે બન્ને જણા પાછા વળ્યા, ને જ્યાં કેશી મુનિ ઊતર્યા હતા, તે બગીચામાં વિરામ લેવા થોભ્યા. ચિત્ત જરા આઘોપાછો થયો. રાજાએ આરામ કર્યો. પછી ચિત્તે કહ્યું : “અહીં એક મુનિ છે. કહો તો એમને મળીએ. પ્રવાસના શ્રમથી મગજ કંટાળ્યું છે; બે ઘડી વાર્તાવિનોદ કરીશું.' મુનિનું નામ સાંભળી પહેલાં તો મારા પિતા ભડક્યા, પણ પછી વાર્તાવિનોદની વાત સાંભળી ચિત્તની સાથે મુનિની પાસે ગયા. મુનિની પ્રભાવશાળી અને સૌમ્ય મૂર્તિ જોઈ રાજાને અંતરમાં ભાવ જાગ્યો. અને એમણે તો ત્યાં જતાંની સાથે પોતાની માન્યતા નિખાલસ ભાવે મુનિને કહી દીધી. એમણે કહ્યું : મુનિરાજ, હું આત્માને માનતો નથી; જન્માંતર સ્વીકારતો નથી; પુણ્યપાપના અસ્તિત્વમાં ઇતબાર ધરાવતો નથી.' મુનિ સમભાવી હતા. એમણે જોયું કે રાજા ભલે ધર્મમાં માનતો ન હોય, પણ સત્યપ્રિય ને નિખાલસ તો જરૂ૨ છે. એવા પ્રત્યે તિરસ્કાર ન હોય. એવા પ્રત્યે સ્નેહ અને સમભાવ જરૂરી છે. કોઈ જીવનો તિરસ્કાર એ પણ હિંસા છે. ચાર યામ ૮ ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy