SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭. સામાજિક મૂલ્ય ૯ નિયા તો દોરંગી છે. તારા મોઢે ઘડીકમાં તને સારો કહેશે ને પછી ઉખરાબ પણ કહેશે. દુનિયા સારી કે ખરાબ કહે તે પ્રસંગે તું તારા જીવનનો અભ્યાસ કરજે. તું શું છે ? ખરાબ હો તો સુધરવું અને સારો હો તો મૌન રાખવું ! કારણ કે દુનિયાના શબ્દો કરતાં આત્માના શબ્દો વધુ કીમતી છે ! ૩૧૮. ઝંખના પણો વિજય આમાં છે : ભવ્ય ભૂતકાળની વિખરાઈ ગયેલી શક્તિઓના સંચયમાં અને ભાવિની નવલી શક્તિઓના સર્જનમાં. ૩૧૯. મનો ધર્મ મારું મન જ સ્વર્ગ છે અને મન જ નરક છે. સુંદર વિચારોના પ્રકાશથી વિકસેલું મન સ્વર્ગનો આનંદ આપે છે, ખરાબ વિચારોના અંધકારથી કરમાએલું પન નરકની યાતના ઉત્પન્ન કરે છે; આમ મન જ હર્ષ ને શોકનું જનક છે. ૩૨૦. કાયર છે તે હૈયાથી ન માનતો હોય છતાં ગુરુ, ગચ્છ કે વાડાના આગ્રહ ખાતર અસત્યને સ્વીકારનાર એ સાધુ નહિ, માણસ પણ નહિ, ભીરુ પણ નહિ, પરંતુ કાયરમાં પણ કાયર ! ૩૨૧. નવનીત વનીત તો છુપાયું છે સમાધિપૂર્ણ મૌનમાં, વાતોમાં તો મોટા ભાગે ખાટી છાશ જ મળશે. જીવનસૌરભ * ૮૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy