SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯. શિયળહીન રિત્રહીન માણસને ખસથી પીડાતા શ્વાનની જેમ ક્યાંય ચેન કે પ્રેમ ન મળે. ધન દે સત્તાના કારણે કોઈ એને લાલસાથી સત્કારે, પણ પ્રેમથી તો નહિ જ. ૨૪૦. સેવા અને પ્રશંસા Aો વા અને કર્તવ્યનો પ્રચાર કરવાની કે પ્રગટ કરવાની ભાવના જ્યારે સેવકના મનમાં લાગે છે, ત્યારે કરેલું કાર્ય સુકાતું જાય છે, અને પ્રશંસા મેળવવાની ચળ વધતી જાય છે. એ જ એના લપસવાનું પ્રથમ પગથિયું બને છે ! જીવનના દરેક કાર્યમાં આપણી કર્તવ્ય-બુદ્ધિ જાગવી જોઈએ. કર્તવ્યની વન-કેડી વટાવવી બહુ મુશ્કેલ છે, એની અંદર અભિમાન-ગર્વનું વાવાઝોડું ચારે તરફ વાતું જ હોય છે, તેની સામે તો કોઈ વિરલ જ ટકી શકે ! ૨૪૧. કાન્તિ ત્તિ થઈ રહી છે, શાનવતાનો ધરમૂળથી ફેરફાર થઈ રહ્યો છે. શોષણથી મા અવતાને દૂર ફગાવી ઝડપથી, શુદ્ધ તરફ ધસવું એનું નામ કાન્તિ ? માણસ આજે બાહ્ય દૃષ્ટિએ બે ડગલાં આગળ દેખાય છે, પણ આંતરિક દૃષ્ટિએ તો એ ચાર ડગલાં પાછળ પડી રહ્યો છે અને તેથી જ એક ઠેકાણે અન્નકૂટ દેખાય છે, ત્યારે બીજી બાજુ અનાથ માનવ અન્ન વિના રિબાઈ રિબાઈને મરી રહ્યો છે.... રે ક્રાન્તિ ! ૨૪૨. સંબંધ વનના પ્રવાસમાં કેટલાક સંબંધ લાંબા હોય છે, પણ તેને સહેતાં સહેતાં જીવન ટૂંકાઈ જાય છે અને હૃદય સુકાઈ જાય છે. જ્યારે કેટલાંક સંબંધ ટૂંકા હોય છે, પણ એની સ્મૃતિ તન-મનને આનંદથી ભરી દે છે. કર કર મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy