SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પણ મારા દુ:ખમાં હું સંકળાયેલો છું. હું જ કારણ છું – આ જ્ઞાનથી દુ:ખમાં પ્રકાશ મળે છે. કાંચનને અગ્નિ શુદ્ધ કરે છે, તેમ દુ:ખનો અગ્નિ પણ માણસના મનને સમજની હૂંફ આપી કાંચન જેવું શુદ્ધ કરે છે. આવું દુ:ખ મિથ્યા ભ્રાન્તિને ટાળે છે, આપણી આસપાસ રહેલા મિત્રવર્તુળમાંથી સાચા મિત્રને ચૂંટી આપે છે. પરિસ્થિતિનો સ્વીકાર કરતાં શીખવે છે અને આત્માના પવિત્ર પ્રકાશમય સ્વરૂપને પ્રગટ કરે છે. ૧૨૨. વીતરાગ મારા સ્વામિન ! તારી શાન્ત પ્રસન્ન મુદ્રાનાં દર્શન કરતાં મારી બધી એ જ ભૂખ ભાંગી ગઈ છે. હું તારી પાસે કાંઈ નથી માગતો, મારે કાંઈ નથી જોઈતું; તારા દરબારનાં દશ્યો જોયા પછી મને હવે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઇચ્છા નથી ! પ્યાસ એટલી જ કે તારી વીતરાગતા મને સ્પર્શી જાય. મનના રાગદ્વેષ શમી જાય. ભાવાનંદથી પ્રગટેલી આ વાણી યાચના ન હો. યાચનાનું બીજું નામ મૃત્યુ છે. ૧૨૩. સત્યનો મહિમા છા ત્યને પ્રકાશ અને અસત્યને અંધકાર એટલા જ માટે કહેવામાં આવે છે છે કે સત્યવાદી પ્રમાદથીય અસત્ય બોલી જાય તો પણ લોકો એને સત્ય જ માને; જ્યારે અસત્યવાદી કોઈ પ્રસંગે મહાન સત્ય ઉચ્ચારી જાય તોયે લોકો એને અસત્ય જ ગણે. ૧૨૪. અંધકાર કાશને ચાહું છું પણ અંધકારથી હું ગભરાતો કે મૂંઝાતો નથી, કારણ કે અંધકારમાં એકાગ્ર બની હું ધ્યાન કરી શકું છું. પ્રકાશમાં, અનેક વસ્તુઓના અવલોકન અને નિરીક્ષણથી આતમદેવ ભુલાઈ જાય છે. જીવનસૌરભ ૩૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy