SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૭. વીતરાગનો માર્ગ વાત સાંભળીને તો દેવોની આંખમાં પણ આંસુ આવ્યાં : છાએક સંસારી મરીને સ્વર્ગે ગયો અને એક સાધુ મરીને નરકે ગયો !” એક જિજ્ઞાસુએ આનું કારણ એક ચિન્તકને પૂછ્યું : “આમ કેમ બન્યું ? નીચે રહેલો ઉપર ગયો અને ઉપર રહેલો નીચે ગયો ?' ચિન્તકે કહ્યું : “સંસારી રાગમાં રહેવા છતાં ત્યાગીઓનો સંગ કરતો, જ્યારે સાધુ ત્યાગમાં રહેવા છતાં રાગીઓનો સંગ કરવા ઝંખતો; એટલે રાગી અંતરથી ત્યાગી થયો અને ત્યાગી અંતરથી રાગી થયો. વીતરામનો માર્ગ આ છે : રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ. પ૭૮. જાગૃતિનો જય હો સન્તના વાયરા ફૂંકાયા છે. કોયલ આંબાવાડિયાને ગજવી રહી છે. અા એક સંત આસોપાલવના વૃક્ષ નીચે ચિત્તનમાં ડૂબેલ છે. એમના જ્ઞાનની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી છે. એમનાં દર્શને તે દેશના મહાન વિજયી મહારાજા આવ્યા. એમનું રાજ્ય વિશાળ છે. વૈભવ અપાર છે. એમના નામથી શત્રુઓ કંપી ઊઠે છે ! એમણે આવી સંતને નમન કર્યું, પણ એમના મનમાંય ગર્વનો પડછાયો તો હતો જ ! સંત એમના મનની વાત પામી ગયા. સંતે આશીર્વાદ આપી કહ્યું : રાજન ! એક વાત પૂછું ? તમે આટલું વિશાળ ને સમૃદ્ધ રાજ્ય તો મેળવ્યું, પણ કો'કવાર કોઈ નિર્જન રણમાં તમારા પ્રાણ તરસને લીધે ઊડી જવાની તૈયારીમાં હોય, ત્યાં કોઈ પાણીના એક પવાલાના બદલામાં તમારા રાજ્યનો અર્ધો ભાગ માગે તો તમે આપો ખરા ?' રાજાએ નમ્રતાથી ઉત્તર આપ્યો : “હા, એવા સંયોગોમાં અરધું રાજ્ય પણ આપું !' સંતે આગળ ચલાવ્યું : “અને એ પાણી પીધા પછી એવો કોઈ ભયંકર રોગ ઊપડે કે તમારો જીવ જવાની પળ આવે, તેવામાં કોઈ વૈદ્ય આવી તમને સ્વસ્થ કરવાના બદલામાં બાકીનું અધું રાજ્ય માંગે તો ?' રાજાએ ઉત્સાહમાં આવી કહ્યું : “તો શું પ્રભો ! એ બાકીનું અધું રાજ્ય પણ આપી દઉં. જીવથી વધુ વહાલું શું છે !” સંતે રાજાના અંતરમાં સોંસરી ઊતરી જાય એવી ગંભીર વાણીમાં કહ્યું : બિંદુમાં સિંધુ ૨૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy