SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેષ્ઠિની આ કરુણાપૂર્ણ ઉદારતા એ ન સહી શક્યા. એમની ચૌરવૃત્તિ, એમની દુષ્ટતા, બધું જ શેઠના પ્રેમપ્રવાહમાં ધોવાઈ ગયાં હતાં. એ ઊભા થયા અને શેઠના પગમાં પડ્યા : ‘દેવ તમારો આ પ્રેમ, આ ઉદાર મૈત્રીભાવ અમારાથી નથી જીરવાતો. અમે જાણે દબાઈ રહ્યા છીએ. આ ભાવનાનો ભાર ઉપાડવા અમે અસમર્થ છીએ. આપ માનવ નહિ, પણ મહામાનવ છો, દેવ છો ! આપે દુષ્ટો સામે પ્રેમ ધર્યો. દુર્જનો સામે સજ્જનતા ધરી. અંધકાર સામે પ્રકાશ ધર્યો, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ, માનવને નહિ છાજતું કાર્ય અને ગમે તેવા કપરા સંયોગોમાં પણ નહિ કરીએ.” શેઠે એમને ઊભા કર્યા અને સન્માન્યા. એમને પોતાને ત્યાં મુનીમ બનાવ્યા; ઉત્તરાર્ધમાં ધર્મનું જ્ઞાન અને સંસ્કાર આપી એમને જીવનના મંગળ પંથે દોર્યા. એક સાંજે સુવ્રતશેઠ ઝરૂખામાં બેઠા હતા. મીઠો પવન વહી રહ્યો હતો. સરિતાના પ્રવાહની જેમ સુંદર વિચારો એમના મનમાં પસાર થઈ રહ્યા હતા. ત્યાં સૂર્ય નમ્યો; સૂર્ય ક્ષિતિજના ગર્ભમાં ડૂળ્યો અને અંધકાર પ્રસરી ગયો. આ દશ્ય જોઈ એ વિચારવા લાગ્યા : “ખરે, જિંદગી પણ આવી જ છે. આ સૂર્ય ડૂબે તે પહેલાં જિંદગીના પ્રકાશમાં જે કરવાનું છે તે કરી લઉં ? નહિ તો અંધકાર ઘેરાયા પછી કંઈ જ નહિ થાય. વસ્તુ દેખાશે નહિ અને અથડામણ વધી જશે.' આ સુંદર વિચાર સરી જાય તે પહેલાં એમણે અમલમાં મૂક્યો, આચાર્યશ્રી જયશેખરસૂરિનું એમણે શરણ લીધું. સંયમની સાધના આદરી અને અરિહંતના ધ્યાનપૂર્વકના મૌનમાં મગ્ન બની, અનેક ઉપસર્ગો સહ્યા, અને મહાન નિર્વાણને પામ્યા. “કૃષ્ણદેવ ! સુવ્રતશેઠની આ કથા એટલે મૌન એકાદશીનું મહાપર્વ ! એ પુણ્યાત્માએ આ પર્વને જીવનમાં એવું તો થયું કે એનું જીવન જ પર્વનું એક મહાકાવ્ય બની ગયું.” શ્રીનેમ પ્રભુએ જીવનના તત્ત્વજ્ઞાનને શુષ્ક રીતે ન મૂકતાં એક મધુર કથામાં વણીને રજૂ કર્યું. બાળકથી તે વૃદ્ધ સુધી સૌ આ જ્ઞાનકથાથી પ્રસન્ન હતાં. પણ શ્રીકૃષ્ણના હૃદયમાં તો આજે કોઈ દિવ્ય સંગીત ગુંજી રહ્યું હતું. એમણે કહ્યું : પ્રભો ! આપની જ્ઞાનગંગામાં રૂમઝૂમ કરતું વહી રહેલું મૌનનું સંગીત મારા ઉરતંત્રને મત્ત બનાવે છે. સુવ્રતની સાધના અને આરાધના તો મારા ભવનું ભાતું ? ૨૨પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy