SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ માણસનું મન માગે અને એ મળે, પછી તો પૂછવું જ શું ! આચાર્ય પણ માનવીના મનના ભોમિયા હતા. એમણે સુવ્રતને ભાવતું જ કહ્યું : ગયા જન્મમાં મૌન એકાદશીની આરાધના દ્વારા એણે કેવી સમાધિપૂર્ણ જીવનયાત્રા વિતાવી હતી, તેનું જ વર્ણન ચિત્રાત્મક રીતે કર્યું. એમના શબ્દેશબ્દમાંથી જીવંત ચિત્ર ઊભું થતું હતું. આ સાંભળતાં સુવ્રતને જાતિસ્મરણ થયું અને આ સ્મરણની પગદંડીએ ચાલતાં ચાલતાં એણે પોતાના પૂર્વજન્મનો સમગ્ર ભૂતકાળ નિહાળ્યો !” ગતજન્મમાં પોતે જ સૂચન્દ્ર હતો – પ્રતાપી અને પ્રાણવાન ! મહિનામાં આવતા માત્ર એકાદશીના એક જ ઉજ્વળ દિવસે એના જીવનને કેવું મંગળમય બનાવી દીધું ! સુવ્રતને જાણે હવે વધારે ઉપદેશની જરૂર ન હતી. રૂના ઢગલામાં અગ્નિનો એક તણખો પણ પૂરતો હોય છે ! ધર્મલાભના પાવન આશીર્વાદ આપી આચાર્ય વનભણી આગળ વધ્યા. સુવ્રત આચાર્યને વંદન કરી ઘેર આવ્યા. પણ એના દિલની દુનિયા આજ પલટાઈ ગઈ. એની સ્વપ્નઘેલી આંખોમાં જાણે કારુણ્યનું કાવ્ય રચાયું હતું ! માગશર સુદ એકાદશીનો દિવસ આવ્યો. સુવ્રત ઉપવાસ કર્યો, પૌષધ લીધો, મૌન આદર્યું, જ્ઞાનશાળામાં બેસી આત્મચિંતનમાં લાગી ગયા. - દિવસ પૂરો થયો. રાત્રિ જામતી ગઈ. રૂપેરી હળવી ચાંદનીમાં શાંતિ પ્રસરી. સર્વત્ર નીરવતા છવાઈ અને શ્રીસદ્ગત મૌનના મહાસંગીતમાં મસ્ત બન્યા. આવી શાંત રાત્રિ યોગીઓને જ પ્રિય હોય છે, એવું થોડું જ છે ? ચોરોને અને કામીઓને પણ આવી નીરવતા ગમતી હોય છે. સુવ્રત જ્યારે આત્માના ગાનમાં મસ્ત હતા ત્યારે એની જ હવેલીમાં પાંચ ચોર પટારા તોડી, સોનારૂપાના અલંકારો ચોરી, ગાંસડી બાંધી, ભાગી છૂટવામાં મસ્ત હતા. એ બહાર નીકળવા જતા હતા, ત્યાં એમની નજર ધ્યાનમગ્ન સુવ્રત પર પડી અને તે ત્યાં જ થંભી ગયા. ચાલવું છે પણ એ ચાલતા નથી. ભાગવું છે છતાં એ ભાગી શકતા નથી. શું એ સુવ્રતના પુણ્ય-તેજમાં અંજાઈ ગયા ? રાતના પ્રહરીઓએ એમને પકડ્યા, અને રાજ્યના સૈનિકોને આધીન કર્યા. બારસનું પ્રભાત ઊઘડ્યું. સુવ્રતે પૌષધ અને મૌનને પૂર્ણ કરી, સ્નાન કરી, પ્રભુની પૂજા આદરી, પૂજા કરી એ ઘેર આવ્યા ત્યારે એમને સમાચાર મળ્યા : એમને ત્યાં રાત્રે ચોરી કરવા આવેલા ચોરોને રાજાએ દેહાન્ત દંડની સજા ફરમાવી છે. ૨૨૨ - મધુસંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy