SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વસન્તસેના એના મનોભાવને જાણવા તો ઝંખતી જ હતી, ત્યાં એ પોતે જ પ્રગટ કરી રહ્યો. એણે પ્રકાશની વાત કરી એટલે વસતેં પૂછ્યું : “ના, આપના જીવનમાં ક્યાંથી પ્રકાશ આવ્યો છે, તે હું જાણતી નથી, પણ હમણાં તમારું જીવન ઊંચે જઈ રહ્યું છે એમ લાગે છે. આજ સુધી મને મારા કુળના સંસ્કારનો ગર્વ હતો, પણ હવે લાગે છે કે તમે મારા કરતાં આગળ વધી રહ્યા છો, અને તમને આંબવા હું તમારી પાછળ દોડી રહી છું, તમને આંબી શકીશ કે નહિ ? દેવ ? તમે મને છોડીને તો આગળ નહિ વધી જાઓ ને ? તમારો પ્રકાશ આપણને જુદા તો નહિ પાડે ને !' વસન્તસેનાનો ભય જોઈ એ હસી પડ્યો : “અરે, તું તો હજી એવી જ રહી. હું કંઈ સાધુ નથી થવાનો કે તને મૂકીને આગળ જાઉં. હું તો કહું છું, આચાર્યે આપેલી પ્રતિજ્ઞા મને ઊંચે ને ઊંચે લઈ જાય છે. હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો ? ક્યાં ચોરનું અંધકારમય-ભયભર્યું જીવન અને ક્યાં આજનું ગૌરવભર્યું નિર્ભય જીવન ! આહ ! એ દિવસે એ નિયમનું મૂલ્ય મારે મન કાંઈ ન હતું. આજ એ જ નિયમ મારા જીવનનો વિધાયક બન્યો છે. મારા નિભંગીના ભવનું ભાતું બન્યો છે.” “મનમાં થાય છે કે ગુરુને વંદન કરી આવું - એમનાં પ્રત્યક્ષ દર્શન કરું. પણ એ ક્યાં મળે ? જ્યેષ્ઠ માસમાં પુષ્પચૂલાનાં લગ્ન પતી જાય એટલે ગુરુદેવની શોધમાં નીકળી પડું, ઇચ્છા તો એવી થાય છે કે એમના ચરણોમાં બેસી મારા પાપનું પ્રક્ષાલન, મારાં ઊંનાં ઊંનાં આંસુઓથી કરું.” વાર્તાલાપ આગળ ચાલત પણ એટલામાં તો બહાર રમવા ગયેલો એમનો સૌથી નાનો પુત્ર અજય આવી પહોંચ્યો, એટલે વાતને ટૂંકી કરતાં વસન્તસેનાએ કહ્યું : ઊઠો, જમવાનો સમય થયો છે. સ્વપ્નોથી પેટની ભૂખ નહિ ભાંગે. સપનાંની સુખલડી ભૂખ ભાંગે નહિ રે લોલ " વસન્તસેના આનંદમાં આવીને ગાવા લાગી. - પુષ્પચૂલને હોદ્દો સંભાળ્યાને બાર મહિના થયા હતા, પણ એક યુગમાં ન આવે એવું પરિવર્તન આ બાર મહિનામાં આવ્યું હતું. પ્રજામાં નિર્ભયતા, શિસ્ત, સંયમ ને શ્રદ્ધા આવ્યાં હતાં. ચોરની કળા ચોર જાણે. ચોર સેનાપતિ બને ત્યાં બીજો ચોર આવે ક્યાંથી ? અને આવે તો ફાવે ક્યાંથી ? સેવામાં, પ્રતાપમાં, નમ્રતામાં ને ભક્તિમાં એ અપ્રતિમ બન્યો હતો. રાજા અને પ્રજા બન્ને એને બહુમાનની દૃષ્ટિથી જોતાં. ૧૯૦ * મધુસંચય For Private & Personal Use Only Jain Education International WWW.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy