SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કદાચ તમારા હાથે માનવજાતનું હિત નહિ થાય, તો પણ અહિત તો નહિ જ થાય. ‘પપ્પા પાપ ન કીજીએ, પુણ્ય કર્યું સો વાર !' ૪૨૨. સ્પર્ધા કોની ? સજ્જનને દુર્જન સાથે સ્પર્ધા કરવાનું મન થાય તો આટલો વિચાર કરવો. પાણી અને મેલ વચ્ચે સ્પર્ધા થાય તો ખોવાનું કોને ? ખોવાનું પાણીને ! મેલને ખોવાનું શું ? મેલ થોડો જ ઊજળો થવાનો છે ? ઊજળું પાણી જ મેલું થવાનું ! આપણી ઉજ્વળતાને સ્પર્ધામાં મલિન શાને કરવી ? ૪૨૩. સૌરભની સ્મૃતિ જવું જ છે ? તો જઈએ. આવ્યા છીએ તો ખુશીથી જઈએ, પણ જતાં જતાં સ્વાર્થની દુર્ગન્ધને બદલે સ્નેહ, સેવા, સદાચાર અને સૌજન્યની સુરભિ મૂકતા જઈએ જેથી એ સુરભિની પુણ્યસ્મૃતિ ૫૨ કોઈકની આંખ તો ઠંડી થાય ! ૪૨૪. શૈશવ મેં વળી ક્યારે કહ્યું હતું કે પ્રૌઢત્વ મને પ્રિય નથી અને વાર્ધક્ય વેઠવું મને પસંદ નથી? હું તો કહું છું કે પ્રતાપી પ્રૌઢત્વ પણ આવો ને શાણું વાર્ધક્ય પણ આવો; પણ મારું કહેવું તો એટલું જ છે કે શૈશવભાવ ન જશો, — જે મસ્ત શૈશવ ગરીબ ને શ્રીમંતના ભેદને પિછાણતું નથી, ફૂલ જેવા નિર્દોષ હાસ્યને તજતું નથી, બૂરું કરનારને પણ દાઢમાં રાખતું નથી, હૈયાની વાતને માયાના રંગથી રંગતું નથી અને વાત્સલ્યની ભાષા સિવાય બીજી ભાષા જાણવું નથી, – એવું મધુરું શૈશવ, જીવનની છેલ્લી પળે પણ ના જશો ! ૪૨૫. સંયમ કે જડતા ? સંયમ એ તો કરુણા અને ભાવોર્મિને નવપલ્લવિત રાખનાર નિર્મળ નીર છે. Jain Education International હંસનો ચારો ! ૧૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004505
Book TitleMadhusanchay
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy