SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨ગા. ૨૨ અગ્નિ નહિ કહે? હા ! એ સુનિશ્ચિત છે કે-જ્યાં ઓળખાવનાર ચિહન હોય ત્યાં (ઓળખવાની) વસ્તુ હેય જ. કહ્યું છે કે “लिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिनि वेतरत् पुनः। નિયમ વિપત્તેિ (ક), સિક્વન્ય (છે) સિસિલિનોર ?'' ( ચોરાવ દ્રિવ ગો ક ર ) ભાવાર્થ –“ જ્યાં લિંગ (ચિહ્નો હોય ત્યાં લિંગી (ઓળખવાની વસ્તુ) હોય જ, પણ લિંગ (ચિહુન) તે લિંગી (વસ્તુ) હોય ત્યાં હોય કે ન પણ હોય. (એટલે ચિન વિના પણ વસ્તુ રહી શકે, પણ વસ્તુ વિના ચિહ્ન તે ન જ હોય.) એમ લિંગ અને લિંગીના સંબંધમાં નિયમની વિપરીતતા છે.” માટે શ્રી શ્રેણિક મહારાજ વગેરે સમતિવંત હતા, તેથી શમવાળા હોવા જ જોઈએએ નિયમ ન થઈ શકે. અર્થાત્ શમ વિના પણ સમકિત હોય-એમ સમજવું. અથવા તે બીજું સમાધાન એ પણ છે કે-કૃષ્ણજી, ણિક મહારાજ વગેરેને ક્રોધવૃત્તિ કે વિષયતૃષ્ણ સંજ્વલનકષાયજન્ય હતી. કેટલાકને સંજ્વલન કષાય પણ એ હોય છે કે–તેને અનંતાનુબંધી જેવો તીવ્ર પણ વિપાક (પરિણામ) હોય, માટે તેઓને સંજવલન કષાયેની કોધવૃત્તિ અને વિષયતૃષ્ણ હતાં એમ માનવું. એમ બને રીતિએ સમાધાન થઈ શકે છે. (અર્થાત તેઓમાં શમના અભાવે પણ સમક્તિ હતું જ એ સિદ્ધ છે.) (૨) “જ”—મક્ષની અભિલાષાને સંગ કહ્યો છે. સમકિતદષ્ટિ આત્મા રાજાનાં, ચકવતીનાં કે ઈન્દ્રોમાં પણ વિષયાદિ સુખેને દુઃખમિશ્રિત અને પરિણામે પણ દુઃખ દેનારાં હેવાથી દુઃખ જ માને, માત્ર એક મેક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે. કહ્યું છે કે " नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ अ मन्नंतो।। સંવેરાવો ન મોવર, મોત્તi f િવઘેઃ II ?(fāરાવા છી- ૨) ભાવાર્થ-“સવેગવાળે જીવ સંવેગથી રાજા, ચકી કે ઈન્દ્રનાં સુખને પણ તાત્પર્યથી ખરૂપ સમજતે એક મેક્ષ સિવાય કોઈ પણ (સુખની) પ્રાર્થના (અભિલાષા) ન કરે.” () “ નિર’–સંસાર પ્રત્યેના વૈરાગ્યને (થાકને) નિર્વેદ કહ્યો છે. સમક્તિદિષ્ટ આત્મા, દુખ–દુર્ભાગ્ય વગેરેથી ભરેલી સંસારરૂપ ભયંકર જેલમાં કર્મરૂપ કેટવાળની અનેક કદર્થનાઓ વેડવા છતાં તેને પ્રતિકાર કરવામાં અશક્ત અને સંસારમાં) મમત્વ વિનાને લેવાથી દુઃખથી કંટાળેલ હોય. કહ્યું છે કે " नारयतिरिअनरामर-भवेसु निव्वेअओ वसइ दुक्खं ।। વાયરોમmો, મમત્તવિવાહિયો ?” (fધં િછદ્દી- ૨) ભાવાર્થ-“પરલેકને માગ એટલે પારલૌકિક સુખની સાધના કરી નથી (કરી શકો નથી) તે પણ સંસારના મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એ (સમકિતી) જીવ નિર્વેદગુણના ગે નરક-તિયચ-મનુષ્ય અને દેવ, એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે, અર્થાત જ્યારે હું સંસારમાંથી નીકળું?” એમ ઝંખનાપૂર્વક રહે” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy