SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦૦૦ શ્લોક પ્રમાણ સ્વોપજ્ઞ હૈમપ્રકાશમહાવ્યાકરણ (હંમપ્રક્રિયા-બૃહવ્યાસ), ઉપાધ્યાય મેઘવિજયગણિએ ૩૫00 શ્લોક પ્રમાણ હેમશબ્દપ્રક્રિયા, શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજે બૃહમપ્રભાની રચના કરી હતી. તેમ સ્વોપજ્ઞતત્ત્વપ્રકાશિકા નામની બૃહદુવૃત્તિ પર હૈમબ્રહવૃત્તિઢંઢિકાની પણ રચના થઈ હતી. તેમાં સૂત્રાન્તર્ગત ઉદાહરણ-પ્રત્યુદાહરણોની સાધનિકા આપવામાં આવી હતી. તે ટીકામાંથી તદ્ધિતપ્રકરણ સાતમા અધ્યાયનું સંપાદન કર્યું છે. આ સાથે જ સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન-સંસ્કૃતવ્યાકરણના સંપાદનનું કાર્ય પરિપૂર્ણ થાય છે. શેષ બાકી રહેલ પ્રાકૃત વ્યાકરણ (આઠમો અધ્યાય)ની ઢંઢિકા સંપાદિત કરી પ્રકાશિત કરવાની ભાવના છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નવમ જન્મશતાબ્દી વર્ષે પૂજય કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રીની સ્મૃતિ સ્વરૂપે અપ્રગટ કૃતિઓ સંશોધન પદ્ધતિએ સંપાદિત કરી પ્રકાશિત કરવી, તથા પ્રગટ કૃતિઓમાં અશુદ્ધિઓ હોય તો સુધારી પુનઃ પ્રગટ કરવી તેવા શુભાશયથી વર્ષો પૂર્વે પૂજય ગુરૂમહારાજ આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ત્રિષષ્ટિશલાકાપુરષચરિત્રાદિ ગ્રંથોના સંશોધનકાર્યમાં સહાયક તરીકે તથા અધ્યયનાર્થે પરમપાવનકારી ભોયણીતીર્થમંડન શ્રીમલ્લિનાથ ભગવાનની શીતલછત્રછાયામાં રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે પૂજયગુરુભગવંતે હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણ તથા હંસવિજયજી-કાંતિવિજયજી મ. સંગૃહીત જ્ઞાનભંડાર-વડોદરાના જ્ઞાનભંડારમાં રહેલી ઢંઢિકાની હસ્તલિખિત પ્રતિઓની ઝેરોક્ષ કોપી સંપાદનાર્થે આપી હતી. તે જ તીર્થે તે તે હસ્તલિખિત પ્રતિઓની ઝેરોક્ષને આધારે સંપાદનકાર્યનો શુભારંભ કર્યો ત્યારે કલ્પના પણ નહોતી કરી કે લોકભોગ્ય-વિદ્ધજનોપયોગી ઢંઢિકાનું સંપાદન પરિપૂર્ણ કરી શકીશ. અપ્રગટ કૃતિને સંપાદિત કરી પ્રગટ કરવામાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે દેવ-ગુરુ-ધર્મની કૃપા જ છે. જેમ જેમ ઢંઢિકાના ભાગો પ્રકાશિત થતા રહ્યા તેમ તેમ શ્રમણ-શ્રમણીભગવંતો, વિદ્વજનો તરફથી ઘણો જ સુંદર પ્રતિભાવ-પ્રતિસાદ પ્રાપ્ત થતો રહ્યો કે આ જ ગ્રંથના સહારે - આલંબને સંસ્કૃત વ્યાકરણનું અધ્યયન ઘણું જ સરળ-સુગમ બની ગયું છે. (१) अनयाऽपूर्वया टीकया संस्कृतव्याकरणशास्त्रे विशेषतः श्रीसिद्धहेमव्याकरणे अध्ययन-संशोधनकार्यं कुर्वतां . विदुषां कृते महान् उपकारो भविष्यतीत्यत्रासंशयं मे मनः । (ૉ. શિશોરવજપાઈ: અમદેત્રી) (?) It would be very useful to students of Grammar, Particularly of fHGEHESPERITI [V. M. Kulkarni - Vile Parle] (૩) પૂજ્ય વિમલકીર્તિવિજયજી મહારાજે આ પુસ્તકનું સંપાદન કરી જૈન સમાજ ઉપર અગણિત ઉપકાર કર્યો છે. પૂજય સાધુભગવંત-સાધ્વીજી મહારાજના જ્ઞાનમાં ખૂબ જ પ્રગતિ-વૃદ્ધિ કરાવનારું હોવાથી અગણિત કલ્યાણના ભાગીદાર છે, અભ્યાસુવર્ગને ખૂબ જ ઉપયોગી છે. | (સ્થાનકવાસી પૂ.ઉપા. વિનોદચંદ્રજી મ.સા.) (૪) હું સંસ્કૃતનો અધ્યાપક છું, મને આ ટીકા ઘણી જ ઉપયોગી બનશે. સાંપ્રતકાળે સંસ્કૃતની સાચી સેવા આપના જેવા ગુરૂભગવંતો કરે છે ત્યારે સાચે જ પ્રસન્નતા થાય છે. આવો અદ્દભુત ગ્રંથ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. આ વિદ્યાકર્મ વિદ્યાજગતમાં પ્રશંસા પામશે જ. (અનિલ ૨. દ્વિવેદી જામનગર) ઢંઢિકાનું સંપાદન કરવાથી વ્યાકરણ સંબંધી મધ્યમવૃત્તિ-બૃહસ્થાસ-ધાતુપારાયણ-ક્રિયારત્નસમુચ્ચયાદિ બહુવિધગ્રંથોનો સ્વાધ્યાય પણ થયો. પ્રશસ્તધ્યાનની પ્રાપ્તિ સ્વાધ્યાયથી જ થાય છે. “સબ્સાનું પસલ્ય ફાળું નાડુ સવારમ€ I ક્ષણે ક્ષણે વૈરાગ્યભાવની પ્રાપ્તિ પણ સ્વાધ્યાયથી જ થાય છે. સાણ વક્રેતો ગાડું વેર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004232
Book TitleSiddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 07
Original Sutra AuthorN/A
AuthorVimalkirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2014
Total Pages450
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy