SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ४३) स्वमनोविज्ञप्तिगर्भितं श्रीनेमिजिनस्तवनम् તપાગચ્છીય યુગપ્રધાન શ્રી સોમસુંદરસૂરિજી (૧૪૩૦-૧૪૯૯) વિરચિત પ્રસ્તુત સ્તવન અપભ્રંશ ભાષામાં રચાયેલું છે. ૪૩ કડીમાં ગુંફિત આ સ્તોત્રમાં વિશિષ્ટ છંદોચયન થયેલું છે. વસ્તુ તથા ર૪ માત્રક ચંદ્રલેખા ઉપરાંત ભાષા' નામથી વિવિધ રીતે છંદ પ્રયોજાયેલ છે. સ્તવનની અત્યંતર સંરચનાનું દિશાસૂચન આપેલા શીર્ષક પરથી જ પ્રાપ્ત થઈ જાય છે. અનાદિકાળથી આજપર્યત સંસારપરિભ્રમણમાં આત્માએ સહન કરેલા દુ:ખોની વેદના કવિહૃદય પરમાત્માને જણાવે છે. સ્તવનની શરૂઆતમાં કવિશ્રી નેમિનાથ પરમાત્માની ગુણસંસ્તવનાના બહાને ‘પ્રભુ! તું કેવો છે?” નું દર્શન કરાવ્યું છે, અને ત્યાર બાદ નિગોદથી આરંભી વ્યવહારરાશિમાં એકેન્દ્રિયત્વ, વિકસેન્દ્રિયત્વ, અસંજ્ઞીત્વ અને સંજ્ઞીત્વમાં સહન કરેલા કાતિલ દુઃખોની સંવેદનાસભર વિનવણી છે. જેના દ્વારા “પ્રભુ ! હું કેવો છું?” નો પરિચય આપ્યો છે. અહીં ૮૪ લાખ જીવયોનિ, કર્મોનિ પ્રકૃતિ-સ્થિતિ આદિનો નામ નિર્દેશ થયો છે. ત્યાર બાદ મનુષ્યભવાદિ દુર્લભ સામગ્રીની પ્રાપ્તિનો આનંદ વર્ણવાયો છે. શ્રીરૈવતગિરિરાજ અને શ્રીનેમિનાથ જિનરાજની થઈ ગયેલી સંપ્રાપ્તિને કારણે કવિશ્રીનું હૈયું નાચી ઊઠ્યું છે. અંતે પરમાત્મા પાસે ભવ-ભવે બોધિબીજ અને પ્રભુપદસેવાની યાચના કરી છે. जय सिरिनेमिजिणंदचन्द ! वंदिअपयसुरनर !, भविअणजणमणवंछिअपूरण ! पहु सरतरु । ૧. સોમસુંદરસૂરિજીનો આંશિક પરિચય સ્તોત્ર ક્રમાંક-૫ માં આવી ગયો છે. તેમના જીવનની વિશેષ માહિતી માટે જુઓ જૈન પરંપરાનો ઇતિહાસ-૩/૧૫૧ થી ૧૫૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004154
Book TitleNeminath Stotra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages360
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy