SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ २८ • પોતાને જલ્દી નિકાળવા માટેના ધીમા શબ્દો ફરીથી મંગલકલશના કાને પડ્યા. તે ફરીથી દેહચિંતાના બહાને ઊભો થયો પરંતુ રાજકુમારીને તરત જ પાછળ આવવાને બદલે થોડી વાર પછી આવવાનું કહી ગયો. આ બાજુ મંત્રીએ ઉજજૈનના માર્ગે રાજાએ આપેલી વસ્તુઓ તૈયાર જ રાખી હતી. તેમાંથી સારભૂત વસ્તુઓ એક રથમાં નાખીને રથમાં ચાર અશ્વો જોડયા અને એક અશ્વને રથની પાછળ બાંધ્યો, વાયુવેગે રથ દોડાવીને થોડા દિવસોમાં ઉજ્જૈની પહોંચી ગયો. • આનંદિતમને ઘર તરફ જતો હોય છે ત્યારે માતાએ બહુમૂલ્ય વસ્ત્ર-અલંકારથી વિભૂષિત થયેલો હોવાને કારણે તેને ઓળખ્યો નહીં અને કહ્યું “રાજકુમાર ! આ માર્ગ નથી.” ના કહેવા છતાં તે રથને ઘર તરફ આવતો જોઈને સત્યભામાએ ધનદત્ત શ્રેષ્ઠીને બોલાવ્યા. • ધનદત્ત શેઠ તેને કહેવા જાય છે એટલામાં તો મંગલકલશ માતાપિતાના ચરણે નમે છે. માતા-પિતા તેને ઓળખ્યા પછી ખૂબ આનંદિત થાય છે. મંગલકલશનો આટલા સમયનો વૃત્તાંત જાણીને અને આટલી બધી ઋદ્ધિ જોઈને ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રાકાર સહિતની નવી મોટી હવેલી બનાવે છે. • મંગલકલશ પોતાના અધૂરા કલાભ્યાસ માટે માતા-પિતાની આજ્ઞાથી ઘરની નજીક રહેતા ઉપાધ્યાયની પાઠશાળામાં જોડાઈ જાય છે કે જે ઉપાધ્યાય રાજા-મંત્રી-સાર્થવાહ વગેરેના પુત્રોને પણ કલા અભ્યાસ કરાવતા હોય છે. • આ બાજુ મંગલકલશને પાછો મોકલ્યા પછી મંત્રીએ શયનખંડમાં પોતાના પુત્રને મોકલ્યો. અંદર આવીને જયાં એ શય્યા પર ચઢવા જાય છે ત્યાં જ રાજપુત્રી સાવધ થઈ જાય છે. રોગિષ્ઠ મંત્રીપુત્ર જ્યાં હાથનો સ્પર્શ કરવા જાય છે ત્યાં જ રૈલોકયસુંદરી ત્યાંથી નીકળીને બહાર પોતાની દાસીઓ પાસે આવી જાય છે. દાસીએ એકદમ વિહળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy